Abtak Media Google News

15 હજારની વસતીવાળા સુદામડા ગામમાં  ખાણમાં બચેલું પાણી લોકો અપાય છે

સાયલાથી 12 કિ.મી. દુર આવેલા 15 હજારની વસતી ધરાવતા સુદામડા ગામના ગ્રામજનો હાલ પાણી વગર વલખાં મારી રહ્યા છે. અહીના ગ્રામજનોને સરકારની કોઈપણ યોજનામાંથી પાણી ન મળતાં ભારે હાલાકી ભોગવી દૂર દૂર સુધી પાણી ભરવા માટે મજબૂર બન્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અભ્યાસ બગાડીને પહેલા પાણી ભરવા જાય છે. હાલ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ખાણમાંથી જે કાંઈ બચ્યું હોય તેટલું પાણી સંપમાં આપી અને લોકોને પૂરું પડાઈ રહ્યું છે.

સાયલા તાલુકાની મોટી વસ્તી ધરાવતું સુદામડા ગામ જેમાં માત્ર એક ઢેઢુકી જુથ યોજના હતી જે છેલ્લા પાંચ વર્ષથી તેમાં નર્મદાનું પાણી આપવામાં  આવતું હતું તે પણ હાલમાં બંધ છે. સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમથી છ જેટલા જિલ્લાઓને પાણી આપવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તેવા ગામો છે જ્યાં કોઈ યોજનાનો લાભ નથી અને લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. આ ગામને વાસ્મો યોજનાનો પણ લાભ મળ્યો છે 35,000 લિટરની પાણીની ટેંકો પણ બનાવવામાં આવી છે

પરંતુ કોઈ પણ યોજનામાંથી પાણી નહીં મળતા ટેન્કો પણ ખાલી ખમ પડયા છે. આ ગામની આજુબાજુમાં પથ્થરની ખાણો મોટા પ્રમાણમાં આવેલી છે જેમાં પાણી ભરાતા ગ્રામ પંચાયત દ્વારા તે તમામ ખાણોમાંથી થોડું થોડું પાણી લઈ અને ગામમાં વિતરણ કરવાની વ્યવસ્થા છે પણ ગત વર્ષે વરસાદ નહીવત હોવાને કારણે હાલ ખાણો પણ ખાલી પડી છે જેથી પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે.પાણી પુરવઠા વિભાગ પાસે સરપંચ દ્વારા 3000 ફૂટની પાઇપ લાઈનની માંગણી કરવામાં આવી છે. જોતે પાઇપલાઇન આપવામાં આવે તો દૂર ખાણમાંથી બે મહિના ચાલે તેટલું પાણી લાવી ગામમાં વિતરણ કરી શકાય.

હાલ ઉનાળાની શરૂઆતથી જ ગામમાં પાણીની બુમ ઊઠી છે ત્યારે આવનારા દિવસોમાં કેવી પરિસ્થિતિ ઊભી થશે તે સમય જ બતાવશે. અવાડાઓ પણ ખાલી ખમ જોવા મળી રહ્યા છે. સુદામડા ગામે આવેલું ખારા નામનું તળાવ વર્ષોથી ભરવાના ઠાલા વચનો રાજકીય વ્યક્તિઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે પરંતુ હાલ તે તળાવ ખાલી ખમ હાલતમાં પડયું છે.નર્મદાનું નહિવત પાણી આપતા તંત્રના મોટર અને પાઇપલાઇન આપવાના ગલ્લા તલ્લા

સાયલામાં ઉનાળાની શરૂઆતે જ થોરીયાળી ડેમ અને ખાણમાં પાણી ખૂટતા શહેરમાં પીવાની સમસ્યા વધતી જોવા મળે છે. અને મહિલાઓ પાણી માટે રઝળપાટ કરતા જોવા મળે છે. ખાણ અને નહિવત મળતું નર્મદાનું પાણી વિતરણ કરતા પંચાયત તંત્ર પાસે કરેલી પાઇપ લાઇન, મોટર અને બોર માટેની રજુઆતનો કોઇ ઉકેલ ન આવતા પાણી સંકટથી પ્રજાજનો ત્રસ્ત બની છે.

આ બાબતે સાયલા સરપંચ અજયરાજસિંહ ઝાલાના જણાવ્યા મુજબ ડેમ ખાલી થતા પાણી પુરવઠા વિભાગને પાણીના આગોતરા આયોજન માટે રજુઆત કરી અને ધારાસભ્યના સુચનાથી નર્મદાનું પાણી આપવાનું શરૂ કર્યુ હતુ. પરંતુ થોડા દિવસ બાદ નર્મદાનું અપુરતા પાણી વિતરણથી અને પાણી મેળવતા ખાણ ખાલી થતા પાણી સમસ્યા વધુ વિકટ બની છે.

સાયલા પંચાયતે પાણીની સમસ્યાને દૂર કરવા માટે પાણીના વહેણનાં કારણે પંચાયતી બોરની બાજુમાં બીજો બોર, તળાવની બાજુમાં અને પાણીની ટાંકી પાસે પાણીનો બોર પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવે તેવી પણ રજુઆત કરવામાં આવી છે.પીવાના પાણીનો પોકાર:લીંબડીના પાણશીણા ગામે છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યા, ગ્રામજનો નાછૂટકે વેચાતું પાણી લેવા મજબૂર

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણશીણા ગામમાં એક માસથી પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. ગામમાં 15 દિવસે પાણી વિતરણ થઈ રહ્યું છે. 15 દિવસે વિતરણ થતાં ગ્રામજનોને પાણી માટે રીતસરના વલખાં મારવાનો વારો આવ્યો છે. સાત હજારથી વધુ વસ્તીના ગામમાં લોકો નાછૂટકે વેચાતું પાણી લેવા મજબૂર બની ગયા છે. ટોકરાળા નજીક લાઈન લીકેજ થઈ જતા ત્યાં રોજ હજારો લીટર પાણીનો વ્યય થાય છે. જ્યારે પાણશીણા ગામના લોકોને પાણી માટે ફાંફા મારવાનો વારો આવ્યો છે.

ઉનાળામાં લોકોનો પાણી માટે રીતસરનો રઝળપાટ?

સરકારી ચોપડે 39 ગામોમાં નર્મદાનું પાણી પહોંચે છે

મૂળી તાલુકામાં નર્મદા વિભાગની કામગીરી જાણે રામભરોસે ચાલતી હોય તેમ સરકારી દફતરે 39 ગામોમાં નર્મદાનું પાણી પહોંચે છે. પરંતુ વાસ્તવમાં 27 ગામોમાં જ પાણી પહોંચતું હોવાથી લોકોને ભારે મુશ્કેલી ભોગવી પડી રહી છે.મૂળી તાલુકામાં અનેક ગામો આજેપણ પાયાની સુવિધાઓ ઝંખી રહ્યા છે. જેમાં પીવાનાં પાણીની સમસ્યા મહત્વની છે. જયારે નર્મદા વિભાગ દ્વારા ગામડે ગામડે નર્મદાનું પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હોવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે.

પરંતુ વાસ્તવિકતા કાંઇક અલગજ હોવાનું ધ્યાને આવ્યું છે. આ અંગે માહિતી મેળવતા પાણી પુરવઠા નમેદાનાં ચોપડે મૂળી તાલુકાનાં 39 ગામોમાં નર્મદાનું પાણી પહોંચતું હોવાનું જાણવા મળે છે. પરંતુ વાસ્તવિકતા કાંઇક જુદી જોવા મળી હતી. જેમાં મૂળીનાં ખાખરાળા, વગડીયા, ધોળીયા, ખંપાળીયા, પલાસા, ગઢડા,આસુન્દ્રાળી, કુંતલપુર સહિતનાં 10થી વધારે ગામોમાં આજે પણ નર્મદાનું પાણી મળતું ન હોવાથી લોકોને ક્ષારયુકત અને ગંદુ પાણી પીવું પડી રહ્યું છે.

સાયલા તાલુકાનું 10000 ની વસ્તી ધરાવતા સુદામડા ગામે પાણીની સમસ્યા વિકટ બની રહી છે. છેલ્લા કેટલાક વરસથી નર્મદાનું પાણી મળતું નથી. બીજી તરફ અપુરતા વરસાદના કારણે આજુબાજુના વિસ્તારોમાં જમીનના તળના પાણી ઉંડા, કુવામાં પાણીની નહિવત આવકના કારણે પાણી સમસ્યા વધુ વિકટ બની છે. પશુપાલક સહિત મોટી વસ્તી હોવાના કારણે પશુ પાલકો હિજરત કરે તેવી સ્થિતી જોવા મળે છે. મહિલાઓ પીવાના પાણી માટે રઝળપાટ કરતા પણ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.