માણાવદર તાલુકામાં છેલ્લા 15 દિવસ થી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે આજે માણાવદર તાલુકાના નાંદરખા ગામે આભ ફાટ્યું હોય તેમ ત્રણ કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકી જતા જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાતા હતા. ભારે વરસાદના પગલે નાંદરખા કતકપરા રોડની સાઈડ તેમજ બાજુના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા અને ખેતરોના ધોવાણ થયા હતા ખાસ કરીને દલિતવાસમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા જેને કારણે અહીં વસવાટ કરતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા તેમજ નાંદરખા ગામના ઉપસરપંચ પ્રવીણભાઈ મોહનભાઈ વાસજાળીયા નું બળદ બાંધવાનું ઢાળ્યું ભારે વરસાદને કારણે ધરાશાયી થયું હતું તેમજ નાંદરખા ગામના ખેડૂત સવજીભાઈ કચરાભાઈનું પણ બળદ બાંધવાનું ઢાળ્યું ભારે વરસાદને લીધે ધરાશાયી થયું હતું. ચંદુભાઈ વડુકીયા અને મનસુખભાઈ વડુકીયા ના ખેતરોમાં પાણી ભરાતા પાકનો સોથ વળી ગયો હતો તેમજ ડેમનો પારો ઓવરફ્લો થઈ અશોકભાઈ જીવનભાઈ નું ખેતર તેમજ તેની બાજુમાં ભોવનભાઈ ગોવિંદભાઈ જાવિયાના ખેતરમાં પણ પાણી ફરી વળેલ છે અને ખેડૂતોનો ઉભો મોલ ધોવાઈ જતા ખેડૂતોને પારાવાર નુકસાન થયેલ છે તેમ નાંદરખા ગામના સરપંચ કે.ડી લાડાણીએ જણાવ્યું હતું
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર