Abtak Media Google News

જય જવાન જય કિશાન સોસાયટીમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવતા પરિવારમાં અરેરાટી

શહેરના ભગવતીપરા નજીક આવેલી જય જવાન જય કિશાન સોસાયટીમાં નવ દપંતીએ સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. દંપતીએ શા માટે આત્મહત્યા કરી તે અંગેની બી ડિવિઝન પોલીસે તપાસ હાથધરી છે. બંનેના મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયા છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતા અને વીડિયો શુટીંગનું કામ કાજ કરતા બાબુભાઇ વિનુભાઇ સોલંકી નામના 21 વર્ષના યુવાન અને તેમની 20 વર્ષની પત્ની મમતાબેન સોલંકીએ પોતાના ઘરે પંખાના હુક સાથે ચુંદડી બાંધી વહેલી સવારે લટકી જતા બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

બાબુભાઇ સોલંકી અને તેમની પત્ની મમતાબેનનો મકાનનો દરવાજો મોડે સુધી ખોલ્યો ન હોવાથી બાજુમાં જ રહેતા માતા-પિતાને કંઇક અજુગતુ બન્યાની શંકા સાથે મકાનના નળીયા ખેસવી જોયુ ત્યારે બાબુભાઇ સોલંકી અને તેમની પત્ની મમતાબેન ગળોફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા.

બાબુભાઇ સોલંકીના અંકલેશ્ર્વર ખાતે છ માસ પહેલાં જ લગ્ન થયા હતા. એક જ પરિવારની બે વ્યક્તિના મોતથી પરિવારમાં શોક સાથે અરેરાટી મચી ગઇ છે. બાબુભાઇ સોલંકી અને મમતાબેન સોલંકીએ શા માટે આપઘાત કર્યો તે અંગેની વિશેષ તપાસ બી ડિવિઝન પોલીસે હાથધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.