Abtak Media Google News

તારૂણ્ય શિક્ષણને આજની શિક્ષણ પઘ્ધતિમાં સામેલ કરવું  જરૂરી: આજના તરૂણો-કિશોરો પવર્તમાન અને સતત બદલાતી રહેતી જીવંત પરિસ્થિતિઓને સમજીને તેના ઉપર ચર્ચા-વિચારણા કરે તેવો હોવો જોઇએ

તારૂણ્ય શિક્ષણએ સંભવિત શિક્ષણમાં પરિવર્તન, સમાનતાના સિઘ્ધાંતો અને સામાજીક ન્યાય તરફ વળેલું હોવું જોઇએ: આવા શિક્ષણનો ગર્ભિત હેતું જીવન કોશલ્યોના વિકાસ તરીકેની સમજ આપવી તેવો છે

જાહેર સ્થળો પર, શિક્ષણ સંસ્થાઓમાં, ઘરની આસપાસ કે કામ કરવાના સ્થળે જાતિય સતામણી થાય છે, તે હકિકત છે. કિશોરો સાથે દુરવ્યવહાર: ગુંડાગીરી અને રેગીંગ જેવી પ્રવૃતિ થઇ રહી છે

તરૂણાવસ્થા જીવનની એક મહત્વની વિશિષ્ટ અવસ્થા છે, જેમાં મુંઝવતા પ્રશ્ર્ને સાચું અને વૈજ્ઞાનિક આધારો વાળુ માર્ગદર્શન મળવું જરૂરી છે

15 થી ર4 વય ધરાવતા યુવા વર્ગમાંથી 83 ટકા યુવા પુરૂષો અને 78 ટકા યુવા મહિલાઓ તેમના માટે પારિવારીક જીવન -શિક્ષણ મહત્વનું ગણે છે

ભારત દેશ આજે દુનિયાનો સૌથી યુવા દેશ છે. ભારતની વસ્તીના પપ ટકા થી વધારે તરૂણ – તરૂણીઓ અને યુવાનો છે. તરૂણાવસ્થા જીવનની એક મહત્વની વિશિષ્ટ અવસ્થા છે. જેનું મહત્વ સૌએ સ્વીકારવું જોઇએ. તરૂણાવસ્થાએ જીવનનો હકારાત્મક, શકયતાઓ અને ક્ષમતાઓથી ભરેલો સમયગાળો છે.

1 3 2

આજના તરૂણ-તરૂણીઓ પોતાના શારીરિક, માનસિક અને સાંવેગિક પરિવર્તનોને સમજે અને મનમાં પેદા થતા પ્રશ્ર્નોનું વૈજ્ઞાનિક માર્ગદર્શન મેળવે. પોતાની શરીર રચના અને તેના કાર્યોથી વાકેફ થાય અને પોતાની જાતને જાણે અને સમજે તે અગત્યનું છે. તેઓ પોતાની તંદુરસ્તી કેળવે અને જાળવે. જીવનમાં સતત આગળ વધવા શિક્ષણ ખુબ જ જરૂરી છે. તે સમજે જીવનની સતત ગુણવતા જાળવવા તેઓ સ્વચ્છતાનું મહત્વ સમજે અને પર્યાવરણનું જતન કરતાં થાય. તેઓ વ્યસનમુકત બને અને નશીલા દ્રવ્યોથી દૂર કરી પોતાના જીવનનો વિકાસ કરે. ભૃણ હત્યા અટકાવી બેટીઓને બચાવે.

સ્ત્રી દાક્ષિણ્ય અને સ્ત્રી સશકિતકરણના આ યુગમાં દિકરો-દિકરી એક સમન અને બન્નેને સરખી તકો મળે અને આગળ વધે. એચ.આઇ.વી. , એઇડસ જેવા અસાઘ્ય રોગો અંગે જાગૃત બને. તેઓ પોતાના આરોગ્યની જાળવણી માટે હકારાત્મક વિચારસરણી અપનાવી સમતોલ આહાર અને ઘ્યાન, પ્રાર્થના, કસરત, યોગ તેમજ પ્રાણાયામ કરી પોતાનું જીવન ધન્ય બનાવે.

તરૂણ-તરૂણીઓ અને યુવાનો અભ્યાસમાં એકાગ્રતા કેળવી જીવનમાં આગળ વધે તેઓ અભ્યાસિક, સહઅભ્યાસિક પ્રવૃતિમાં ભાગ લે. રમતગમતમાં ભાગ લે આમ તેમનામાં ગુણવત્તા લક્ષી કૌશલ્યોનો વિકાસ થાય, તો તેમનો સંર્વાગી વિકાસ થાય. આમ જોવા જઇએ તો તરૂણ-તરૂણીઓ ‘હેન્ડલ ગીથ કેર’ જેવા છે. તેમને સાચવવા અને કેળવવાનાં છે. એટલે જ કહેવાય છે કે ‘યૌવન એટલે વિજનો તણખો, ઝબકે તો અજવાળુ નહીં તો ભડકો’

1 3

પવર્તમાન સમ તરૂણ-તરૂણીઓ પોતે સમજે, વાલીઓ પોતાના સંતાનોને સમજે, શિક્ષકો વિદ્યાથીને સમજે અને તેમનામાં પેદા થતી સમસ્યાઓનું વૈજ્ઞાનિક માર્ગદર્શન કરે. તરૂણો-કિશોરો પોતાના જીવનમાં વિવિધ પ્રવૃતિઓ અને કૌશલ્યો દ્વારા જીવનમાં અજવાળુ કરે અને બીજાને પણ અલોકમય બનાવે.

તરૂણાવસ્થાને જીવનની હકારાત્મક અને શકયતાઓથી ભરેલી શકિતશાળી અવસ્થા છે. આ અવસ્થાને સમસ્યારુપે કે કઠિન તરીકે છાપ પાડવી જોઇએ નહીં. તેમજ નકારાત્મક દ્રષ્ટિ કોણથી જોવી જોઇએ નહીં. તરૂણો માટે શિક્ષણ પવર્તમાન, સતત બદલાતી જીવનશૈલી, હકીકતોને સમજે અને તેના પર ચર્ચા કરે તેવું હોવું જોઇએ. શિક્ષકોએ પણ પોતાની માન્યતાઓ ભૂલી નવી પઘ્ધતિ પ્રમાણે આ અભ્યાસક્રમના એકજા-તારૂણ્ય શિક્ષણમાં અસરકારક પ્રત્યાયન કરવું જરુરી છે. હવે શાળાઓમાં સેકસ એજયુકેશન આપવાનો સમય પાકી ગયો છે.

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની વ્યાખ્યા પ્રમાણે 10 થી 19 વર્ષ ની વ્યકિતઓ કિશોર તરીકે, 10 થી ર4 વર્ષની વ્યકિતઓ યુવાન તરીકે અને 1પ થી 24 વર્ષની વ્યકિતઓ યુવા તરીકે ઓળખાય છે. 1પ થી ર4 વર્ષ ધરાવતાં યુવા વર્ગમાંથી 83 ટકા પુરૂષો અને 78 ટકા યુવા મહિલાઓ તેમના માટે પારિવારિક જીવન શિક્ષણ મહત્વનું છે. નેશનલ ફેમીલી હેલ્થ સર્વેમાં જણાવ્યા મુજબ આજના યુવા વર્ગને એચ.આઇ.વી. સામેના રક્ષણ માટેની પૂરતી માહિતીથી વાકેફ હોતા નથી. તેથી જ ભારતમાં 1પ થી ર4 વર્ષની વય જુથના એચ.આઇ.વી. ના શિકાર વધુ બન્યા છે.

1 2 2

જાહેર સ્થળો પર, શિક્ષણની સસ્થાઓમાં ઘરની આસપાસ અને કામ કરવાની જગ્યાએ જાતીય સતામણી થાય છે. તે હકિકત છે. કિશોરો  સાથે થતાં દુરવ્યવહાર, ગુંડાગીરી અને રેગીંગ જેવી પ્રવૃતિ થઇ રહી છે.

ભારત પાસે ઘણો મોટો માનવ સંશાધન છે, દેશે યુવાનોની તંદુરસ્તી અને તેમની ક્ષમતાઓને બહાર કાઢી વિકાસ કરવા માટે સતત અને પ્રગતિશીલ મુડી રોકાણ કરવું જ પડશે. જીવન કૌશલ્ય ની એક સામાન્ય સંકલ્પનાની સમજતો વિકાસ કરવો તેનું અમલીકરણ અને તારૂણ્ય શિક્ષણ ગર્ભિત હેતુ જીવન કૌશલ્યના વિકાસ તરીકેની સમજ આપવી તેવો છે.

તરૂણો કિશોરો – યુવાનોના મુંઝવતા પ્રશ્ને માર્ગદર્શન

આજના 14 થી ર4 વય જુથના તરૂણો – કિશોરો અને યુવાનો માટે તેને મુઁઝવતા પ્રશ્ર્નોમાં સાચો અને વૈજ્ઞાનિક આધારો વાળો જવાબ આપવા વાળુ કોઇ નથી. મા-બાપને પૂછી નથી શકતા એ વાત તેના મિત્રોને પણ પૂરી જાણકારી ન હોવાથી ત્યાંથી પણ પુરી માહીતી મળતી સાથે કયારે તો ઘણી ગેરસમજણનો શિકાર પણ બને છે. શરીર વિજ્ઞાન સાથે પ્રજનના સ્વાસ્થ્ય સંબંધીત શિક્ષણ પણ તરૂણો- કિશોરો – યુવાઓને મળવું જોઇએ. માનસિક સ્વાસ્થ્ય જ સારુ હશે. તો જ તેનો સંર્વાગી વિકાસ થઇ શકશે. આપણાં દેશમાં વિશ્ર્વમાં સૌથી વધુ યુવા વર્ગની સંખ્યા છે. તેમને સર્વ પ્રકારે માહિતગાર કરવો એ દરેક નાગરીકની ફરજ છે. શાળાના શિક્ષકો આ બાબતે શ્રેષ્ઠ કાર્ય કરી શકે છે. તરૂણાવસ્થા જીવનની એક મહત્વની વિશિષ્ટ અવસ્થા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.