Abtak Media Google News

માનવતાથી મોટો કોઇ ધર્મ નથી તેનું ઉદાહરણ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રેશમિયા ગામ ના માલધારીઓ દ્વારા પુરૂં પાડવામાં આવ્યું છે ચોટીલા તાલુકાના રાજપરા રેશમિયા અને આજુબાજુના ગામડાઓ આવેલા છે તે વિડ વિસ્તાર તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. આ વિસ્તારમાં અનેક નાના મોટા પક્ષીઓ પશુઓ વસવાટ કરી રહ્યા છે માલધારીઓ પણ પોતાના ઢોરો અને ઘાસચારો અને ચરાવવા માટે આ વિસ્તાર નો સહારો લઈ રહ્યા છે જ્યારે ખાસ કરી રેશમિયા ગામ ના માલધારીઓ દ્વારા શિયાળો અને ચોમાસાની ઋતુમાં આ વિસ્તારમાં ભરપૂર ઘાસચારોે માલધારીઓ વિડ વિસ્તારમાં જઇ રહ્યા છે. આ વિસ્તારમાં બચ્ચાને જન્મ આપ્યા બાદ હરણીનું મોત નિપજતા બચ્ચાંને રૂપાભાઈ નામ ના ગામના માલધારી દ્વારા આ બચ્ચાનો ઉછેર કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલમાં ફક્ત સાત દિવસનું હરણનું બચ્ચું ચોટીલાના રેશમિયા ગામના માલધારીઓના પરિવારનું સભ્ય બની ચૂક્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.