વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રણછોડનગર કન્યાશાળામાં ધોરણ ૧૦ અને ૧૨ની વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ વિદાય સમારોહમાં ધોરણ ૯ અને ૧૧ની વિદ્યાર્થીનીઓએ પોતાના ઘરેથી ટીફિન લાવી ધોરણ ૧૦ અને ૧૨ની વિદ્યાર્થીનીઓને જમાડીને અનોખી ઉજવણી દ્વારા વિદાય આપી હતી. સરસ્વતી વિદ્યામંદિર સંકુલ સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે વિદ્યાર્થીની વિદાય સમારોહમાં વિદ્યાર્થીની બહેનોને બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠતમ પરિણામ મેળવવા ઉચીત મહેનત કરવાની તથા જીવનમાં ઉચ્ચતમ ધ્યેય-લક્ષ્ય હાંસલ કરવાની તેમજ ઘર-પરિવાર, સમાજ, દેશનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી. ધોરણ ૧૦ અને ૧૨ની વિદ્યાર્થીની બહેનોનાં વિદાય સમારોહનું આયોજન શાળાનાં પ્રધાનચાર્ય દર્શનાબેન દોમડીયાએ કર્યું હતું અને કાર્યક્રમનું સંચાલન આચાર્ય કવનભાઈ દત્તાણીએ કર્યું હતું.
Trending
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે
- જીવન જીવવાની જડીબુટ્ટી સમા ભગવદ્ ગીતાના ક્યાં છે 5 મહત્ત્વના શ્ર્લોક
- ઉનાળુ વેકેશનના ચાર રવિવાર રેસકોર્સમાં જામશે fun street નો જલશો
- નવી પેઢીની સંગાથે સોનાના ઘરેણા બનાવવાની પરંપરાગત કારીગીરીને કરાશે ઉજાગર
- ચકચારી રવની ડબલ મર્ડર કેસના તમામ આરોપીઓની ધરપકડ
- ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું અને પાકિસ્તાનમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે
- સોડા એશનું ઉત્પાદન કરતા ટાટા કેમિકલ અને જીએચસીએલની માઠી
- રાજ્યભરની આરટીઓ કચેરીમાં બે દિવસ ડ્રાયવિંગ લાયસન્સ સંબંધિત કામગીરી બંધ