Abtak Media Google News

ચેપગ્રસ્ત પ્રાણીઓ સંપર્કમાં આવવાથી અથવા ચેપગ્રસ્ત પશુના દુધનો ઉપયોગમાં લેવાથી બ્રુસેલો રોગનો ભોગ બને

વોકહાર્ટ હોસ્પિટલના ઈન્ફેકશન સ્પેશ્યાલીસ્ટ ડો.આકાશ દોશી ચેપી રોગોની માહિતી આપતા જણાવે છે કે હાલના સમયમાં મેડીકલ સાયન્સ અને ટેકનોલોજીના વિકાસ સાથે,ચેપી રોગો વિશે પણ જાગૃતિ વધી છે. આપણે એવા જ એક મહત્વપુર્ણ ચેપ વિશે જાણીએ જેને બ્રુસેલા તરીકે ઓળખાઈ છે.

બ્રુસેલા એ ઝુનોટિક રોગોનો સૌથી સામાન્ય પ્રકાર છે.ઝુનોટિક રોગો એટલે એવા રોગો જે પ્રાણીઓથી માણસમાં ફેલાઈ છે.તે બેકટેિરયાના કારણે થાય છે.તે ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્ક દ્વારા અથવા ચેપગ્રસ્ત પશુના દુધના ઉત્પાદનનો અને ડેરીની વસ્તુઓના સેવનથી ફેલાઈ છે.સામાન્ય રીતે ઘેટા,બકરા,ઢોર વગેરેમાં બ્રુસેલો રોગ જોવા મળે છે.
તાજેતરમાં જ 17 વર્ષના એક યુવાનને વોકહાર્ટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવેલ જેને ર-3 મહિનાથી તાવ,ઉલ્ટી,કમરમાં દુ:ખાવાની તકલીફ હતી. ડો.આકાશ દોશીના માર્ગદર્શન હેઠળ દર્દીની સારવાર શરૂ કરવામાં આવી. દર્દીની તપાસ કરતા માલુમ થયુ કે તેને લીવરની પણ હળવી તકલીફ છે. ત્યારબાદ તેમને આગળની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા.

દર્દીની વિગતવાર તપાસ કરતા જણાયુ કે તેમને બૂરસેલો નામક ચેપી રોગ હતો અને તેની સારવાર કરવામાં આવી.દર્દી સંપુર્ણ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.આ પ્રકારના રોગોમાં માત્ર નિદાન જ મહત્વનુ નથી પરંતુ ઝડપી રીક્વરી અને સારવારની પસંદગી પણ એટલી જ મહત્વની છે.
આ બીમારીની સારવાર એન્ટીબાયોટીક્સથી કરવામાં આવે છે.

શરૂઆતના સમયમાં તકેદારી રાખવાથી બચી શકાય છે.એ ઉપરાંત કાચુ દુધ પીવાનુ ટાળવુ,જે પશુનુ દુધ હોય તે બીમાર છે કે નહી તેની તપાસ કરવી.પશુને યોગ્ય તપાસ અને સારવાર આપવી જરૂરી છે.જેઓ પશુપાલક છે તેઓએ પશુને રસી અપાવવી જોઈએ અને તેનાથી દુરી બનાવી રાખવી જોઈએ. બ્રુસેલોનો સૌથી મોટો ઉપાય એ છે કે તેના વિશે જાગૃતિ ફેલાવવી અને લોકોએ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત રહેવુ જોઈએ અને કોઈપણ શંકા માટે નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.