Abtak Media Google News

કુદરતી કે માનવસર્જિત આફતોના સમયે સમાજની વ્હારે પહોંચવામાં અગ્રેસર રહેનાર યોગી ડિવાઇન સોસાયટી અને રાજકોટ સ્થિત આત્મીક યુનિવર્સિટી તેમજ આત્મીય ગ્રુપ ઓફ ઇન્સિટટ્ યૂશન્સ દ્વારા મુખ્યમંત્રી રાહતફંડમાં રૂા.૨૫ લાખ અર્પણ કરવામાં આવ્યા છે.

પરમ પૂજય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની આજ્ઞાથી યોગી ડિવાઇન સોસાયટી અને આત્મીય પરિવાર વતી આ સહયોગ રાશિ ૨૫ લાખનો ચેક ગાંધીનગરમાં ત્યાગવલ્લાભ સ્વામી, ગુરૂપ્રસાદ સ્વામી અને વિઠ્ઠલભાઇ પટેલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને અર્પણ કર્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે, સાંપ્રત લોકડાઉનની ૫રિસ્થિતિમાં યોગી ડિવાઇન સોસાયટી અંતર્ગત આત્મીય પરિવારની સંસ્થાઓ દ્વારા ભોજન, રેશન કીટ વિતરણ, આરોગ્ય સહાય, ઉકાળા વિતરણ વગેરે કાર્યક્રમો ચાલી રહ્યા છે. આ ઉપરાંત આત્મીક પરિવારનાં રાજકોટ કોળીભરથાણા (સુરત) અને વલ્લભવિદ્યાનગર સ્થિત છાત્રાવાસોમાં કોરોના વાઇરસના અસગ્રસ્તો માટે આઇસોલેશન કવોરેન્ટાઇન માટે વ્યવસ્થા તેમજ સ્વયંસેવકોની સેવા ઉપલબ્ધ કરાવવાની ખાતરી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.