Abtak Media Google News

આડા સંબંધમાં આડખીલી રૂપ બનતા મોતને ઘાટ ઉતાર્યાની પ્રેમી યુગલની કબુલાત

માળીયાહાટીના ના વિરડી ગામે થયેલી યુવાનની હત્યા તેની પત્ની અને તેના પ્રેમીએ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પતિ તેની પત્નીના આડા સંબંધમાં આડ ખીલી રૂપ હોય જેથી આ હત્યા કરાઈ હોવાનું મરણ જનાર યુવકની પત્નીએ પોલીસને જણાવ્યું છે. જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના વિરડી ગામેથી ભાવેશભાઈ કાનાભાઈ પરમાર નામના યુવાનની લાશ ત્રણ દિવસ પહેલાં મળી હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી, અને મરણ જનારની હત્યા થઈ હોવાની પોલીસને શંકાના આધારે ઝીણવટ ભરી, અને આકરી પૂછપરછ હાથ ધરાઇ હતી ત્યારે મૃતક ભાવેશભાઈની પત્ની સુધાબેન ભાવેશભાઈ પરમારની પોલીસે પૂછપરછ આદરતા સુધાબેન પોલીસ સમક્ષ ભાંગી પડયા હતા અને તેણીએ તેના અમરાપુર ગામના પ્રેમી ભરતભાઈ નાથાભાઈ વાઢીયા સાથે મળી કરી હોવાની કબુલાત આપી હતી.મરણ જનાર ભાવેશભાઈની પત્ની સુધાબેને પોલીસને આપેલી કેફિયત મુજબ તેણીને  અમરાપુર ગામના પ્રેમી ભરતભાઈ નાથાભાઈ વાઢીયા સાથે પ્રેમ સબંધ હતો અને તેનો પતિ ભાવેશભાઈ કાનાભાઈ પરમાર આ આડા સબંધમાં આડ ખીલી રૂપ હોય જેથી બંને એ કાવતરું રચી, બંને એ સાથે મળી હત્યા કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું. માળીયાહાટીના તાલુકાના વિરડી ગામે યુવકના થયેલ શંકાસ્પદ મોત અંગે પોલીસે શંકાના આધારે ઝીણવટ ભરી તપાસ આદરી ગણતરીના દિવસોમાં જ યુવકનું મોત નહીં પરંતુ હત્યા થઈ હોવાનો ઘટસપોર કરેલ છે અને આ ગુન્હામાં પોલીસે મરણ જનારની પત્ની તથા પત્નીના પ્રેમીની ધરપકડ કરી રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.