Abtak Media Google News

જામનગરના એક રિક્ષાચાલક પર અગાઉ મુસાફર ભરવાની બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી ગઈકાલે અન્ય રિક્ષાચાલકે છરી વડે હુમલો કરતા પોલીસે હત્યા પ્રયાસનો ગુન્હો નોંધ્યો છે ત્યારે ચોખંડાના એક યુવાનને બે શખ્સોએ ધોકાવ્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે.

જામનગરના એરફોર્સ રોડ પર આવેલા વામ્બે આવાસના બ્લોક નં.ર૦/૧૯માં રહેતા અને રિક્ષા ચલાવવાનો વ્યવસાય કરતા રાજેશ રમેશભાઈ ગોસ્વામી (ઉ.વ.૩૬)ને એકાદ મહિના પહેલા મુસાફર બેસાડવાની બાબતે ત્રણ માળિયા આવાસમાં રહેતા હાજા માણશી આહિર સાથે બોલાચાલી થઈ હતી.

ત્યાર પછી ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યે રાજેશભાઈ ખોડિયાર કોલોની નજીક આવેલા કોમલનગરમાં પોતાની રિક્ષા રાખી મુસાફરની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક ત્યાં છરી સાથે ધસી આવેલા હાજા માણશી આહિરે જીવલેણ હુમલો કર્યો હતો. આ શખ્સે છાતી, હથેળી તેમજ કોણીના ભાગે ત્રણ ઘા ઝીંકી ગડગડતી મૂકી હતી.

લોહીલુહાણ બની ગયેલા રાજેશભાઈને ત્યાં હાજર લોકોએ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા. આ બનાવની જાણ થતા પીએસઆઈ એમ.એસ. કોટવાળ તથા સ્ટાફના દિલીપભાઈ તલાવડિયા વગેરે દોડયા હતા. પોલીસે રાજેશભાઈની ફરિયાદ પરથી હાજા માણશી સામે આઈપીસી ૩૦૭, જીપી એક્ટની કલમ ૧૩પ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.