Abtak Media Google News

રાત્રીના ઘરે સુતા બાદ શંકાસ્પદ હાલતમાં મોત નિપજતા ફોરેન્સીક પી.એમ. કરાવાયું

વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો હોવાથી સુરતનો પરિવાર જામનગરના પીપરટોડા ગામે આવ્યો હતો. આ દરમિયાન વેકેશનને લઈને મામાના ઘરે આવેલ અભંગી પરિવારની 13 વર્ષીય કિશોરીનું રાત્રીના સમયગાળા દરમિયાન કોઈ કારણસર મોત નીપજ્યું હતું. આ શંકાસ્પદ મોતને લઈને કિશોરીના મૃતદેહને જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો હતો.

આ કેંસની પ્રાથમિક વિગત એવી છે કે મળતી વિગત અનુસાર ધોરણ સાતમાં અભ્યાસ કરતી અને સુરતમાં રહેતી જેનીશા પંકજભાઈ અભંગી નામની કિશોરી પોતાના પરિવાર સાથે પીપરટોડા ગામે આવી હતી. જયા રાત્રિના સમયે અગાસી પર સુતી વખતે તેનું કોઇ પણ કારણસર મોત નીપજ્યું હતું. જોકે મોત મામલે કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. આથી કિશોરીના શંકાસ્પદ મોતને લઈને મૃતદેહનું પીએમ કરવામાં જીજી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. જ્યા રીપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.