Abtak Media Google News

પોરબંદરથી જામનગર દરગાહે દર્શન કરવા આવેલી મહિલા ધુણતી વખતે બેભાન થઇ જતા કાળનો કોળીયો બનતા પરિવારમાં અરેરાટી

મૂળ પોરબંદરના છાયા વિસ્તારની વતની ગર્ભવતી મહિલા ગઈકાલે જામનગરમાં દાતારપીરની દરગાહે દર્શન કરવા આવી હતી, જ્યાં ધુણતી વખતે બેશુદ્ધ બની હતી, અને તેણીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.જ્યાં ફરજ પરના તબિબે મૃત્યુ પામેલી જાહેર કરી હતી.

આ બનાવની વિગત એવી છે કે પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતી શાહીસ્તા એજાજભાઈ શેખ નામની 28, વર્ષની યુવતી કે જે પોતાના પરિવાર સાથે જામનગરમાં ખંભાળિયા ગેઇટ મકરાણી પાડા માં આવેલી દાતાર પીરની દરગાહે દર્શન કરવા આવી હતી, અને તેણી ના પેટમાં નવ માસનો ગર્ભ હતો.

જેને હાજરી આવતી હોવાથી તે ધૂણતી હતી. તે દરમિયાન  તેણી ને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું

આ બનાવ અંગે હાફીઝ ભાઈ એજાજભાઈ શેખ  કેજે અંગે પોલીસને જાણ કરતાં સીટી એ. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોટમ કરાવ્યું છે, અને સમગ્ર બનાવવામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.