Abtak Media Google News
  • જામનગર નજીક ધુંવાવ પાસે આવેલા ઇસ્કોન મંદિરે દર્શનાર્થે જઈ રહેલા એક દર્શનાર્થી મહિલાને અજાણ્યા વાહન ચાલકે કચડી નાખ્યા

જામનગર ન્યૂઝ : જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધુંવાવ નજીક આવેલા ઇસ્કોન મંદિરે દર્શનાર્થે ગયેલા એક મહિલાને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટેમાં લઇ કચડી નાખતાં ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નિપજ્યું છે. જે અકસ્માત મામલે પોલીસ તપાસ ચલાવે છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શિવ રેસીડેન્સી મા રહેતા સુમનબેન અભિમન્યુ પવાર નામના પરપ્રાંતિય મહિલા, કે જેઓ જામનગર- રાજકોટ ધોરી માર્ગ ધુંવાવ નજીક આવેલા ઇસ્કોન મંદિરે દર્શનાર્થે ગયા હતા, અને દર્શન કર્યા પછી રણજીત નગર તરફ પરત આવવા માટે રસ્તો ઓળંગી રહ્યા હતા.

જે દરમિયાન પુર ઝડપે આવી રહેલા કોઈ અજ્ઞાત વાહન ના ચાલકે સુમન બેન ને ઠોકરે ચડાવી હડફેટમાં લઈ લેતાં તેઓને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હોવાથી ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર સતીશ અભિમન્યુ પવારે પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અજ્ઞાત વાહનચાલક સામે ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.

સાગર સંઘાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.