Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આજે સવારે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને એક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા ૫૧ વર્ષના સાયકલ સ્વાર શ્રમિકને કોઈ અજ્ઞાત વાહન ચાલકે ઠોકરે ચડાવી ચગદી નાખતાં બનાવના સ્થળેજ કરૂણ મૃત્યુ નીપજયું છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ મુંબઈના વતની અને હાલ જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા રાકેશભાઈ વિનોદભાઈ મોદી (ઉંમર વર્ષ ૫૧), કે જેઓ આજે સવારે સાતેક વાગ્યાના અરસામાં પોતાની સાયકલ લઈને ઠેબા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ના ચાલકે તેઓની સાઇકલને ઠોકરે ચડાવ્યા હતા, અને ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ ગયા પછી રાકેશભાઈ નું બનાવના સ્થળે અંતરીયાળ મૃત્યુ નીપજયું હતું. આ અકસ્માતના બનાવ પછી અજાણ્યો વાહન ચાલક ત્યાંથી ભાગી છૂટયો હતો.

જે બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને રાકેશભાઈ ના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.