જામનગર સમાચાર
સેનાની ત્રણેય પાંખ, જિલ્લા પોલીસ, એન.સી.સી. કેડેટ્સ, શાળાના વિદ્યાર્થીઓ, શહેરીજનો સહિત 3 હજારથી વધુ લોકોએ દોડમાં ભાગ લીધો હતો . સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે આર્મી, એરફોર્સ તથા જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેને મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા કલકટર બી.એ.શાહ, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદી, પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલુ, નેવી કોમોડોર જે.એસ.ધનોવા, એરફોર્સ એર કોમોડોર શ્રી પુનિત વિધ, બ્રિગેડિયર સૌરભ વત્સ, શાશક પક્ષના નેતા શ્રી આશિષભાઈ જોશી, શહેર પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ દોડમાં સેનાની ત્રણેય પાંખ, જામનગર જિલ્લા પોલીસ, એન.સી.સી.કેડેટ્સ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ,જામનગર મહાનગરપાલિકાની વિવિધ શાખાના કર્મીઓ તથા શહેરીજનો વગેરે મળી 3 હજારથી વધુ લોકો ઉત્સાહભેર સહભાગી થયા હતા.