Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર શહેરમાં પ્રતિ વર્ષ મુજબ આ વખતે પણ વિજ્યાદસમી ના પર્વની રાજપૂત સમાજ દ્વારા વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી. તેમજ શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ૭૮-ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા રાજ્યના પૂર્વ મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તથા રાજપૂત સમાજના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને શસ્ત્ર પૂજન કર્યું હતું.

Whatsapp Image 2023 10 24 At 11.48.24 46Ec1B07

જામનગરના રાજપૂત સમાજ માં આજે વિજયા દશમીના પર્વ ની ઉજવણી ના ભાગરૂપે શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.રાજપુત સમાજ દ્વારા ધર્મ અને સંસ્કૃતિ અને ગૌરવશાળી પરંપરા મુજબ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય જાડેજાએ શાસ્ત્રોકત વિધિ સાથે શસ્ત્ર પૂજન કર્યુ કર્યું હતું, જેઓની સાથે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), રાજપૂત સમાજના પ્રમુખ પી.એસ. જાડેજા, તેમજ જગદીશ જાડેજા હિતુભા જાડેજા સહિતના રાજપૂત સમાજના આગેવાનો જોડાયા હતા, અને શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.

સાગર સંઘાણી

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.