Abtak Media Google News

અખીલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ અને અગ્નિ અખાડાના સભાપતિ તેમજ બિલખા રાવતેશ્વર ધર્માલયના મહંત ગોપાલાનંદજી બાપુ બ્રહ્મલીન થતા શિષ્યગણ શોકમાં ગરકાવ થઇ ગયો છે. આજે ગુરૂવારે જૂનાગઢમાં ગોપાલાનંદજીની બેન્ડની સૂરાવલિ સાથે ચાર ઘોડાવાળી બગીમાં અંતિમયાત્રા નીકળી હતી. જેમાં ગુજરાતભરના સાધુ સમાજના લોકો અને સંતો ઉમટી પડ્યા હતા. જૂનાગઢના માર્ગો પર અંતિમયાત્રા ફેરવવામાં આવી હતી. બાપુના અંતિમ દર્શન માટે લોકો ઉમટી પડ્યા હતા. ગુલાબની પાંદડી અને ફૂલોનો બગી પર વરસાદ કરવામાં આવ્યો હતો.

અંતિમયાત્રા બિલનાથ મહાદેવ મંદિરથી ગોદડ અખાડા,જૂના સ્વામીનારાયણ મંદિર,ભીડભંજન મંદિર,ગિરનાર દરવાજા, દામોદર કુંડ, ભવનાથ મહાદેવ મંદિર, અગ્નિ અખાડા,ગિરનાર પગથિયા થઇ બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરે સંપન્ન થશે અને બાદમાં ત્યાં અગ્નિ સંસ્કાર વિધી સંપન્ન થતા બાપુનો દેહ પંચમહાભૂતમાં વિલીન થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.