Abtak Media Google News

સુપ્રીમ કોર્ટમાં સોમવારે કઠુઆ સામુહિત દુષ્કર્મ અને હત્યા મામલે સુનાવણી થવાની છે. કોર્ટ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની અને સુનાવણી જમ્મુથી ચંદીગઢ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માગણી કરવામાં આવી છે. મૃતક બાળકીના પિતાએ કેસની સુનાવણી ચંદીગઢ ટ્રાન્સફર કરવાની અને આરોપીઓએ તપાસ સીબીઆઈને સોંપવાની માગણી કરી છે.

સુપ્રીમ કોર્ટે સુનાવણી પર સોમવાર સુધી રોક લગાવી હતી

આ પહેલાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળી બેન્ચે પીડિત અને બચાવપક્ષની અપીલ પર 26 એપ્રિલે સુનાવણી કરી હતી.આ દરમિયાન બેન્ચે કહ્યું હતું કે, આ કેસમાં સોમવાર સુધી કોઈ પણ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે નહીં. બેન્ચે એવું પણ કહ્યું હતું કે, જો તેમને એવુ લાગશે કે આ કેસમાં નિષ્પક્ષ સુનાવણી નથી થઈ રહી તો તેઓ કેસ ટ્રાન્સફર કરતા પણ વાર કરશે નહીં.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.