Abtak Media Google News

કેશોદ સમાચાર

કેશોદ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ ૧૧/૧૧/૨૦૨૩ ના રોજ પાણખાણ ગામની સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે પોતાની સગીર વયની દિકરીને અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવીને દુષ્કર્મ કરવાને ઈરાદે અપહરણ કરી ગયેલ છે. કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી.સી.ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર બી બી કોળી દ્રારા સગીરા અને અપહરણ કરનારને ઝડપી પાડવા ટેકનોલોજીનો ઉપયોગ કરી શોધવાનો પ્રયત્ન કરતા નવસારી આસપાસના વિસ્તારમાં સ્થાયી  થયાનું ધ્યાને આવ્યું હતું .

કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર બી બી કોળી,  પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ ડાભી , પોલીસ કોન્સ્ટેબલ રોહિત પટેલ,  સંજયસિંહ , રુચિત ડાંગર અને રોહિતભાઈ દ્વારા નવસારી ખાતે પહોંચી સગીરા સાથે અપહરણ કરી જનાર સંકેત રતુભાઇ પટેલ રહેવાસી સમરોલી તાલુકો ચીખલીને ઝડપી પાડી કેશોદ પોલીસ સ્ટેશન લાવી સઘન પૂછપરછ કરી અપહરણ, દુષ્કર્મ અને પોસ્કોની કલમનો ઉમેરો કરી આગળની તપાસ હાથ ધરી છે.

કેશોદના પાણખાણ ગામની સગીરા સાથે યુવક કંઈ રીતે સંપર્કમાં આવ્યો હતો અને સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરવામાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ ઉપરાંત એકાદ મહિના સુધી ક્યાં ક્યાં આશ્રય લીધો હતો એ તમામ હકીકતો તપાસમાં બહાર આવશે.

જય વિરાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.