Abtak Media Google News

મોજીદડમાં સ્વ. સરદારસિંહજીને શ્રઘ્ધાંજલી અર્પણ કરાશે સંગઠનના સભ્યો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

ગુજરાત રાજપુત ક્ષત્રીય સંગઠન દ્વારા સમાજ સેવી અને સ્વામીની સ્વ. સરદારસિંહજી માવસિંહજી પરમારની ૧૭મી પુણ્યતિથિ નીમીતે તા.૧પને ગુરુવારના રોજ મોજીદળ તા. મુડા ખાતે શ્રઘ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમ અંગે માહીતી આપવા માટે ગુજરાત રાજપુત ક્ષત્રીય સંગઠનના ચંદુભા પરમાર, હિતુભા ડોડીયા, ભુપતસિંંહ જાદવ, બલદેવસિંહ સિંધવ, રણજીતસિંહ ડાયમા, મૌલિકસિંહ વાઢેર, દિપસિંહ પરમાર, યુવરાજસિંહ ડોડીયા, યોગીરાજસિહ તલાટીયા, પ્રદિપસિંહ પરમાર, અજીતસિંહ પરમાર, અશોકસિંહ પરમાર, વનરાજસિંહ પરમાર, ઉદયસિંહ જાદવ, ચંદ્રસિંહ ડોડીયા, બલદેવસિંહ ડોડીયા સહીતના સભ્યોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ તકે તેઓએ માહીતી આપતા જણાવ્યું હતું રાજપુત સમાજના આ ભડવીર સાવજની ખોટ હજુ સુધી કોઇ પુરી શકયું નથી સમગ્ર રાજપૂતબંધુના હ્રદયમાં વસવાટ કરતા સ્વ. સરદારસિંહજીને હ્રદયપૂર્વક  યાદ માટે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વ. સરદારસિંહજીને શ્રઘ્ધાંજલી, સાધુ સંતો દ્વારા માતૃશ્રી ગંગાબા પ્રવેશદ્વારનું લોકાર્પણ અને રાત્રે ૮ કલાકે લોક ડાયરો યોજાશે. લોકડાયરામાં જે ભંડોળ એકત્રિત થશે તે બોટાદ જીઆરસીએ ભવન માટે વાપરવામાં આવશે આ કાર્યક્રમનો લાભ લેવા ક્ષત્રીય સમાજને આહવના કરવામાં આવ્યું છે.

આ કાર્યકમ માટે ગુજરાત રાજપૂત ક્ષત્રીય સંગઠન, રાષ્ટ્રીય રાજપુત કરણી સેવા, બેડીપરા કારડીયા રાજપુત સમાજ, નડોદા રાજપુત સમાજ, ગુર્જર રાજપુત સમાજ, મારુ રાજપુત સમાજ, રામનાથપરા કા.રા. સમાજ, રાજપુતપરા કા.રા. સમાજ સહીતના સંગઠનોનો સહયોગ મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.