Abtak Media Google News

રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા કડીયાળી ગામના હિરાના કારખાના વાળા શિવાભાઇના કારખાને જઇને હિરા ધસતા કારીગરોના પ્રશ્ર્નોથી વાફેફ થયા હાલમાં હિરાના ધંધામાં ખુબ જ મંદીનો માહોલ છે. આ અંગે કારીગરો દ્વારા ધારાસભ્યશ્રી સાથે ચર્ચા દરમ્યાન જણાવેલ કે હિરાના નબળો સમય છે જેથી અંબરીશભાઇ ડેરે દ્વારા હિરાના કારીગરોને આશ્ર્વાસન આપેલ હતું અને જણાવેલ કે નબળા સમયમાં વધુ સારુ કઇ રીતે થઇ શકે.

તે અંગે ચર્ચાઓ કરેલ હતી અને હિરાના કારીગરોના પ્રશ્નોને વાચા આપવા જણાવેલ અને સૌને ખુબ જ આશ્વાસન આપીને હિરા કઇ રીતે ધસાઇ અને કઇ રીતે તૈયાર થાય તેની સમજ પણ કારીગરો પાસેથી મેળવેલ હતી. આમ સામા અર્થમાં લોક સેવક તરીકે લોકોની વચ્ચે જઇને લોકોના પ્રશ્નો જાણીને તે કઇ રીતે સૌ સાથે મળીને હલ થઇ શકે તે રીત અપનાવવીને પ્રશ્ન હલ કરવાનો સારો પ્રયત્ન ડેર કરી રહ્યા હોય તેને લોકોએ આવકારેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.