Abtak Media Google News

રોલ ઓબ્ઝર્વર કુલદીપ આર્યાએ મતદાર નોંધણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

તા.05/04/2023 થી તા.23/04/2023 સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અંતર્ગત તંદુરસ્ત મતદારયાદીના નિર્માણ માટે મોરબી જિલ્લામાં રોલ ઓબ્ઝર્વર તરીકે   કુલદીપ આર્યાની નિમણુંક કરવામાં આવી છે. રોલ ઓબ્ઝર્વરએ તા.20/04/2023 ના રોજ મોરબી જિલ્લાના તમામ મતદાર નોંધણી અધિકારી અને તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક દરમ્યાન તા.01/04/2023 ની લાયકાતની તારીખ સુધીમાં 18 વર્ષ પૂર્ણ થતા તમામ નાગરિકો/વિદ્યાર્થીઓની નોંધણી આ જજછ  2023 દરમ્યાન 100% પૂર્ણ કરવામાં આવે તથા તમામ વિધાનસભા મતવિસ્તારમાં જેન્ડર રેશિયો વધારવા માટે બોટમ  20 મતદાન મથકની રૂબરૂ મુલાકાત તમામ ઊછઘ/ અઊછઘ દ્વારા લેવામાં આવે તેમ જણાવ્યું હતું. રોલ ઓબ્ઝર્વરશ્રીએ 66-ટંકારા વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નં.153- ટંકારા-2  કુમાર પ્રાથમિક શાળા તથા મતદાન મથક નં.160-ટંકારા-9,  એમ.પી.દોશી હાઇસ્કુલની મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારી સાથે રૂબરૂ મુલાકાત લઈ બી.એલ.ઓ.ની કામગીરી તથા મતદારયાદીની સમીક્ષા કરી હતી તેમ મોરબી જિલ્લા ચુંટણી અધિકારીએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.