Abtak Media Google News

5 મે સુધીમાં એડમિશન ક્ધફર્મ કરાવે તો રૂપિયા ર000 ની સ્કોલરશિપ

શહેરના ભીડભાડ અને ઘોંઘાટભર્યા વાતાવરણથી દૂર લીલાછમ ગાર્ડન, મેદાન અને વિશાળ કેન્ટીન ધરાવતા  કોલેજકેમ્પસમાં ભણવાનું તમારું સ્વપ્ન છે?પણ માત્ર કોલેજકેમ્પસ સુધી પહોંચવા માટે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચને જોઈને મૂંઝવણ અનુભવો છો?

તો આપના સ્વપ્નાઓ પૂરા કરવાં નવયુગ ગ્રુપ ઑફ એજ્યુકેશનના પ્રમુખપી. ડી. કાંજીયા ક્ધયાકેળવણીને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે લઈને આવ્યા છે એક ઉત્તમ વિચાર.મોરબીની શિક્ષણપ્રેમી જનતાની વર્ષોની લાગણી અને માગણીને ધ્યાનમાં લઈને, ક્ધયાકેળવણી પ્રોત્સાહનના ભાગરૂપે અને ગર્લ્સ સેફ્ટીને ધ્યાનમાં લઈને તેમજ સારી વ્યવસ્થા મળી શકે એવા હેતુથી નવયુગ કોલેજમાં ચાલતા કોઈપણ કોર્સમાં વર્ષ 2023 ના નવા સત્રથી એડમિશન લેનાર ગર્લ્સ માટે નવા બસસ્ટેન્ડથી નવયુગ કોલેજ સુધી ફ્રી બસ સુવિધા તેમજ ગર્લ્સ અને બોયઝ બંને માટે કોઈપણ કોલેજના પ્રથમ સત્રમાં તારીખ 5/5/2023 સુધીમાં એડમિશન ક્ધફર્મ કરાવે તો રૂપિયા 2000 ની સ્કોલરશિપ. કારકિર્દીના નવાં શિખરો સર કરવા અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે મોરબીની જનતાનો નવયુગ ગ્રુપ ઑફ એજ્યુકેશન પરનો વિશ્વાસ દિવસેને દિવસે વધુ દૃઢ થતો જાય છે. આજે 25000 થી વધુ વિદ્યાર્થીઓ નવયુગ પરિવારનો હિસ્સો બની ગયા છે.

શ્રેષ્ઠ કારકિર્દીનું નિર્માણ કરવા માટે નવયુગ કોલેજમાં આપનું રજીસ્ટ્રેશન કરાવો. કોઈપણ પ્રશ્ન માટે કોલેજના નંબરનો સંપર્ક કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.