Abtak Media Google News

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

વિવિધ શાળાઓ, કોલેજો તથા યુનિવર્સિટીઓની વિજ્ઞાન લગતા વિવિધ પ્રોજેકટનું પ્રદર્શન

ટચૂકડા મોબાઇલ ફોન કે લેપટોપને ઈન્ટરનેટ મારફતે જોડીને ઘરમાં બેસીને દુનિયાના કોઇ પણ ખૂણે રહેતા સ્વજન સાથે વાત કરતી વખતે કે નેટ બેંન્કિંગ મારફતે ઓનલાઈન ખરીદી કરતી વખતે કે ભવિષ્યમાં થનારા સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણની માહિતી વિષે અખબારોમાં વાંચતી વખતે કયારેય આપણને વિજ્ઞાનનું મહત્વ સમજાયું છે ખરૂ ? આપણો જવાબ હશે ના,  રોજિંદા જીવનમાં વણાઇ ગયેલા વિજ્ઞાનની ઉપયોગિતા અંગે લોકોને જાગૃત કરવા માટે સમગ્ર દેશમાં ર8 ફેબ્રુઆરીને “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

Advertisement

Screenshot 8 43   ભારત સતત વિકાસશીલ દેશ રહ્યો છે. વર્તમાન સમયમાં ભારત દેશ વિકાસની જે હરણફાળ ભરી રહ્યો છે, તેમાં વિજ્ઞાનનો મહત્તમ ફાળો રહ્યો છે. જે-તે સમયે દેશમાં પ્રવર્તતી અંધશ્રધ્ધા દુર કરવામાં વિજ્ઞાને મહત્વનો ફાળો આપ્યો છે. વિજ્ઞાન આપણા રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ છે. આપણા હાથમાં રહેલા અવનવા ગેજેટ્સથી લઈને અવકાશ વિજ્ઞાાન સુધીની સતત વિકસતી ટેક્નોલોજીએ વિજ્ઞાાનની અને માનવ જીવનના સતત પ્રયત્નોની સમગ્ર માનવ સમુદાયને મળેલી ભેટ છે.

28 મી ફેબ્રુઆરી 1928માં કલકત્તાની ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ ખાતે ભારતીય વૈજ્ઞાનિક સર ચંદ્રશેખર વેંકટરામને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પ્રકાશના કિરણોની અલગ અલગ તરંગ લંબાઈ પર વિખેરાઈ જવાની પ્રકિયાનું ખુબ જ બારીકાઈથી અવલોકન કરી તેને લોકો સમક્ષ મુકી હતી. જે શોધને તેમના નામ પરથી ’રામન ઈફેક્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 1930માં આ નોંધપાત્ર શોધ માટે તેમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ભારતમાં જ સંશોધન કાર્ય કરીને નોબલ પુરસ્કાર મેળવનાર પ્રો. રામન એક માત્ર ભારતીય વૈજ્ઞાનિક હતા. તેમની શોધ પરથી વધુને વધુ બાળકો અને યુવાનોને પ્રેરણા મળે તેવા શુભાશયથી સરકાર  દ્વારા દર વર્ષે નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવે છે.

લોકોના રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા વિજ્ઞાનના મહત્વ વિશે સંદેશ ફેલાવવા તેમજ મહત્તમ લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ અને દ્રષ્ટિકોણ કેળવાય, ભારતમાં માનવ કલ્યાણ માટે વિજ્ઞાનના ક્ષેત્રમાં થતી તમામ પ્રવૃત્તિઓ, પ્રયાસો અને સિદ્ધિઓ આ દિવસે પ્રદર્શિત કરવામાં આવે છે. જેના પગલે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પિત રીજીયોનલ સાયન્સ સેન્ટર-રાજકોટમાં ‘ઈંઉઊઅ એક્સિબિશન’ અંતર્ગત રાજકોટનાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર સર્વશ્રેષ્ઠ કૃતિઓના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે,

જેની થીમ ભારત દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ ‘નીતિ આયોગ’ના ભાગરૂપ પ્રોજેક્ટ એવાં ‘ગ્લોબલ મિશન : કશઋઊ (લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ) તથા યુનાઇટેડ નેશન્સ દ્વારા આપવામાં આવેલ 17 સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ (ટકાઉ વિકાસના લક્ષ્યાંકો)ને અનુરૂપ રાખવામાં આવી છે.  ઉપરાંત વિવિધ વૈજ્ઞાનિક વિષયો આધારિત કાર્યશાળા, નિષ્ણાંતો સાથે વૈજ્ઞાનિક વાર્તાલાપ, સર સી. વી. રામનના જીવનચરિત્ર પર આધારિત વિજ્ઞાનનાટિકા તથા આધુનિક ટેલિસ્કોપ દ્વારા આકાશદર્શન વગેરે જેવા કાર્યક્રમોનું પણ જાહેર જનતા માટે આયોજન કરવામાં આવ્યુ છે.Screenshot 9 27

નેશનલ સાયન્સ ડે એ ભારતમાં વિજ્ઞાનને લગતા ઉજવાતા તહેવારો પૈકીનો મુખ્ય તહેવાર છે. આ દિવસે વિવિધ શાળાઓ, કોલેજો તથા યુનિવર્સિટીઓમાં વિજ્ઞાનને લગતા વિવિધ પ્રોજેક્ટસનું પ્રદર્શન યોજવામાં આવે છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા રેડીયો-ટીવી પર વિવિધ કાર્યક્રમો પ્રસારીત કરવામાં આવે છે તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા  વિજ્ઞાનને લગતી ચર્ચાઓ, સાયન્સ  ક્વિઝ, સાયન્સ મુવીઝ વગેરેનું 5ણ નિદર્શન કરવામાં આવે છે.

પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર 70 હજારથી વધુ લોકોએ લીધી મુલાકાત

પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું 19 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થયા બાદ હાલ સુધીમાં કુલ 69,431 થી વધુ લોકોએ મુલાકાત લીધી છે. જેમાં ઓક્ટોબર માસમાં 10,071, નવેમ્બર માસમાં 14,755,  ડિસેમ્બર માસમાં 10,360, જાન્યુઆરી માસમાં 17,011 અને ફેબ્રુઆરી માસમાં 8,000 જેટલા થઈને કુલ 37,845 શહેરીજનો અને 31,587 વિદ્યાર્થીઓએ કેન્દ્રની મુલાકાત લઈ જ્ઞાન મેળવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.