Abtak Media Google News

તમામ ધર્મના લોકોએ કરી ખેડુત નેતાની દિર્ઘાયુ માટે પ્રાર્થના:ટુૂંકમાં હોસ્પિટલમાંથી રજા અપાશે

લોકોના હૃદયમાં વસતા અને દરેક ધર્મના લોકો સાથે સુમેર્યુ લાગણી ધરાવતા વિઠ્ઠલભાઇ રાદડીયાની તબિયત બગડળતા તે સારવાર હેઠળ હોઈ ત્યારે દરેક ધર્મના લોકોએ તેમને માટે પ્રથાના તેમજ અનેક પ્રકારની માનતાઓ રાખવામાં આવેલ હોઈ અને આનેજ કારણે આજે વિઠ્ઠલભાઇ રાદડિયાની તબિયત સુધારા પર આવી છે અને લોકોમાં અનેરો આનંદ પણ છવાયો છે

Advertisement

જેતપુર  જામકંડોરણાના ધારાસભ્ય અને રાજયના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ એક યાદીમાં જણાવેલ છે કે, પોરબંદરના સંસદસભ્ય વિઠ્ઠલભાઇ રાદડીયા હાલ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ છે અને તેમની સ્થિતિ ધણી સુધારા ઉપર છે.

હાલ વિઠ્ઠલભાઇ રાદડીયાને ર્ડાકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવેલ છે. ચિંતાનો કોઇ વિષય નથી અને શુભેચ્છકો, કાર્યકરો તથા ટેકેદારોને ચિંતા નહીં કરવા અપીલ કરી છે.

જયેશ રાદડીયાએ જણાવેલ છે કે, વિઠ્ઠલભાઇ રાદડીયાની મણકાની સર્જરી સફળતાપૂર્વક થયેલ હતી. પરંતુ, ત્યારબાદ ફેફસામાં ઇંફેકશન લાગતા હાલ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. તબીબોએ કરેલા તમામ રીપોર્ટ નોર્મલ આવેલ છે અને ટુંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવનાર છે.

હાલ, વિઠ્ઠલભાઇ રાદડીયાને હોસ્પિટલમાં તબીબોએ સંપૂર્ણ આરામની સલાહ આપેલ હોવાથી મિત્રો, શુભેચ્છકો તથા કાર્યકરોએ હોસ્પિટલે ધસારો નહીં કરવા શ્રી જયેશ રાદડીયાએ અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.