Abtak Media Google News
  • રમતા-રમતા નવાગઢ સ્ટેશનેથી ટ્રેન મારફત રાજકોટ આવી ગયા’તા

જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાંથી ત્રણ દિવસ પૂર્વે ઘર પાસે રમી રહેલા પરપ્રાંતિય પરીવારના બે બાળક ગૂમ થવાના બનાવમાં બંને બાળકો રાજકોટ રેલ્વે સ્ટેશન પાસેથી મળી આવતા બાળકોના પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

જેતપુરના સામાકાંઠા વિસ્તારમાંથી અજીતકુમાર ગિરજાપ્રસાદ ચૌધરી અને સોહેલખાન નઝીમખાન મન્સૂરી ગુમ થઈ ગયા હતા. ફરિયાદ કરાતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ હાથ ધરી હતી. આસપાસના સીસીટીવી કેમેરા ખંગાળતા બન્ને બાળકો એકલાં જ ચાલીને જતા જોવા મળ્યા હતાં. બંને બાળકો ચાલીને નવાગઢ રેલવે સ્ટેશનથી ટ્રેન મારફત રાજકોટ પહોંચી ગયા. ત્યાં એક પોલીસની આ બાળકો પર નજર પડતા ગુમસુદા બાળકોના ફોટા જોયા હોવાથી તે ઓળખી ગયા અને તેમણે બંને બાળક વિશે પોલીસને જાણ કરતા ઉધોગનગર પોલીસે રાજકોટ જઈને બંને બાળકનો કબ્જો લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.