વસ્તુ લેવા નીકળેલા પ્રૌઢાને બે મહિલા સહિત ચાર શખ્સોએ લમધાર્યા

શહેરમાં ગુનાખોરીનો વ્યાપ વધતો જોવા મળી રહ્યો છે ત્યારે ગોકુલનગરમાં એક મહિલા પર પ્રેમી સાથે ભાગેલી તેની ભત્રીજી સહિત પ્રેમીના પરિવારજનોએ માર માર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સંતકબીર રોડ પર ગોકુલનગરમાં રહેતા શારદાબેન સુરેશભાઈ ગોહેલ નામના 55 વર્ષીય પ્રૌઢા પર તેમની જ ભત્રીજી સહિતનાઓએ માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે જાણ થતાં પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ શારદાબહેનની ભત્રીજી નંદિની ત્યાં જ રહેતા રોહિત સાથે દોઢ માસ પહેલા ભાગી ગઈ હતી. ત્યાર બાદ ગઇ કાલે શારદાબેન વસ્તુ લેવા નીકળ્યા ત્યારે નંદિની, રોહિત અને રોહિતના પરિવારજનો શોભનાબેન સહિતનાઓએ માર માર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.