Abtak Media Google News

દેશભરમાં સાધુ-સંતો સહિતના કુલ 87 લોકોએ આધાર વિના જ રસી મેળવી

અબતક, નવી દિલ્લી
કોરોના રસીકરણ માટે આધાર કાર્ડ જરૂરી નથી તેવો ખુલાસો થયો છે. આ અંગે સુપ્રીમ કોર્ટને માહિતી આપતાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે, કોવિડ રસીકરણ કરવા માટે આધારની જરૂરિયાત નથી. સરકારે આધાર વગરના લગભગ 87 લાખ લોકોને રસી અપાવી છે.

હકીકતમાં કોવિન પોર્ટલ પર રસીકરણ માટે આધાર સિવાય કોવિડની નોંધણી અન્ય નવ પ્રકારના ઓળખ કાર્ડ સાથે કરી શકાય છે. સોમવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આ માહિતી આપી છે. નોંધપાત્ર રીતે આધારને માત્ર કોવિડ રસીકરણ માટે ઓળખ કાર્ડ તરીકેની માન્યતાને પડકારતી અરજીનો સુપ્રીમ કોર્ટમાં નિકાલ કરવામાં આવ્યો હતો.
પરિવાર કલ્યાણ મંત્રાલયે સુપ્રિમના જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ સૂર્યકાંતની બેંચને જણાવ્યું કે, રસીકરણ નોંધણી માટે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, મતદાર કાર્ડ, રેશન કાર્ડ સહિત નવ ઓળખ દસ્તાવેજોમાંથી એકનો ઉપયોગ કરીને કરી શકાય છે.

આ કેસમાં એક નોટિસ જારી કરવામાં આવી હતી, જે મુજબ કોવિન એપ પર માત્ર આધાર કાર્ડનો જ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અરજદારે ફરિયાદ કરી હતી કે તેની પાસે આધાર ન હોવાને કારણે તેને રસીકરણનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે 15 જાન્યુઆરી 2022 સુધી દેશમાં 156 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે, પરંતુ સમગ્ર વસ્તી હજુ પણ રસીકરણથી દૂર છે. તમને જણાવી દઈએ કે 16 જાન્યુઆરી 2021 ના રોજ દેશમાં આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કરોનું રસીકરણ શરૂ થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.