Abtak Media Google News

રેલવે એક એવો વાહન વ્યવહાર છે જેના દ્વારા સમગ્ર દેશમાં અને એક લોકો મુસાફરી કરે છે અને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે. સરકાર દ્વારા રેલવે વિભાગ અને વિકસાવવાના અનેક પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે હવે અમદાવાદ દિલ્હી જતી ટ્રેનને પણ અક્ષરધામ એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવશે.

અમદાવાદમાં પ્રમુખ સ્વામીજી મહારાજના શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ડિસેમ્બરે આ શતાબ્દી ઉજવણીના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો. ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ પહોંચ્યા હતા. ત્યાં રેલમંત્રીએ કહ્યું હતું કે અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેન હવે ‘અક્ષરધામ એક્સપ્રેસ’ તરીકે ઓળખાશે.

આ ટ્રેન જોડે છે બંને અક્ષરધામ મંદિરોને
અશ્વિનીએ વૈષ્ણવ પ્રમુખ સ્વામીજી મહારાજના શતાબ્દી મહોત્સવમાં પહોંચીને મહંતના આશીર્વાદ લીધા હતા. આ પછી તેમણે જાહેરાત કરી કે અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ હવે ‘અક્ષરધામ એક્સપ્રેસ’ તરીકે ઓળખાશે. રેલવે મંત્રીએ કહ્યું કે આ ટ્રેન દિલ્હી અને અમદાવાદ સ્થિત અક્ષરધામ મંદિરોને જોડે છે. વૈષ્ણવના મતે, આ પગલું સ્વામિનારાયણ સમુદાય દ્વારા કરવામાં આવી રહેલી મહાન સેવા માટે માત્ર એક નાનકડી કૃતજ્ઞતા છે. “પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ રૂપે, દિલ્હી અને અમદાવાદને જોડતી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટૂંક સમયમાં અક્ષરધામ એક્સપ્રેસ તરીકે ઓળખાશે.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.