Abtak Media Google News

પશ્તુન પ્રજા માટે લડી લેવાના મુડમાં સેના માટે મોરચો

પાકિસ્તાનમાં લધુમતિ સમુદાયમાં રહેલ પશ્તુન પ્રજા હવે સૈન્યના જુલ્મથી ત્રાહિમામ પોકારી ઉઠી આઝાદી માટે જીવન માણતો જંગ ખેલવા તત્પર બની છે. અને આ માટે ચળવળ શરુ કરી દીધી છે.

Advertisement

પાકિસ્તાન સૈન્ય દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પશ્તુન પ્રજા પર રીતસર જુલ્મ વાસાવવામાં આવી રહ્યો છે. અને અત્યાર સુધીમાં હજારો નિદોર્ષ પશ્તુન નાગરીકો મોતને ભેટયા છે. ત્યારે છેલ્લા ત્રણ માસથી પશ્તુન પ્રજા દ્વારા મૃતકોના નામ અને ફોટો સાથે જાહેરમાં દેખાવો કરવાનું શરુ કર્યુ છે. અને આઝાદી માટેની આ વળવળમાં હજારો ટેકેદારો જોડાયા છે.

દરમિયાન ૮ એપ્રિલના રોજ પેશાવર ખાતે હજારો પશ્તુન દેખાવકારોએ રેલી યોજી હતી જેમાં લશ્કર દ્વારા ગુજારતા દમન ને વાચા આપવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે આટલી મોટી ચળવળ છતાં લશ્કરનો ભયને કારણે પ્રેસ મિડીયા પણ દબાણ હેઠળ હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે.

દરમિયાન ત્રાસવાદના સફાયાના નામે આર્મી દ્વારા પાકિસ્તાનના ઉતર પશ્ર્ચિમ ભાગમાં જયા સૌથી વધુ પશ્તુની પ્રજા વસવાટ કરે છે ત્યાં લશ્કરી કાર્યવાહી કરી નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાવતા હોવાનું ઉમેરી પ્રદર્શન કારીઓ દ્વારા લશ્કર સામે રોષ વ્યકત કરવામાં આવ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.