Abtak Media Google News

વેપારીને ગોંધી રાખી માર માર મારતા અદાલતમાં દાદ માંગી તી

રાજકોટ રૂ.1.50 કરોડનો હવાલો લઈ વેપારીને ગોંધી રાખી  શોર્ટ આપ્યા હોવાની અદાલતમાં ફરિયાદ નોંધાતા અદાલતે  એલસીબી પોલીસના પી.એસ.આઇ સહિત 11 વ્યક્તિને અદાલતમાં હાજર થવા નોટિસ ફટકારી છે.

આ કેસની હકીકત મુજબ ખોડિયાર એગ્રી ફલોર મીલ્સ પા. લી. કંપનીના મલિક રોહિત હેમતભાઈ ચંદાલાએ ધ્વની ઈન્ટરનેશનલના મલિક  વિજયભાઈ તોતલમાલ મંગલાણી અને બાલાજી એકઝીમના મહેન્દ્ર ધરમશીભાઈ કગથરાને માલ વહેંચેલ તેના બદલામાં રૂપિયા લેવાના બાકી હતા. અને આ ધ્વની ઈન્ટરનેશનલ અને બાલાજી એકઝીમના માલીકે યશવંત રણછોડભાઈ સખીયા પાસેથી રૂા. 1.50 કરોડ  વ્યાજે લીધા હતા. જેનું વ્યાજ ચુકવતા હતા અને આ બાલાજી એકઝીમ અને ધી ઈન્ટરનેશનલએ  ફરીયાદી રોહિત હેમંતભાઈ ચંદાલા માલ પેટેના રૂપિયા જમા કરાવ્યા હતા.

જેનો હવાલો યશવંતભાઈ રણછોડભાઈ સખીયાએ રાજકોટ એલ.સી.બી. પોલીસના પીએસઆઇ ભરતભાઈ બોરીસાગરને હવાલો આપ્યો હતો. જેમાં પીએસઆઇ ભરતભાઈ બોરીસાગરે રોહિતભાઈ ચંદાલાને તા. 31/07/2023 ના રોજ ગોંધી રાખી અસહય માર મારી ગુપ્તાંગમાં 10 થી 15 વખત શોર્ટ આપ્યા હોવાની રોહિત ચંદાલાએ રાજકોટની ચીફ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના આધારે અદાલતે હવાલકાંડમાં સંડોવાયેલા  એલ.સી.બી.ના પી.એસ.આઈ. ભરતભાઈ બોરીસાગર સહિત 8 પોલીસ કર્મી અને યશવંત રણછોડભાઈ સખીયા, દિલીપ રણછોડભાઈ સખીયા, નરેન્દ્રભાઈને તા. 11/08/2023 ના રોજ કોર્ટ સમક્ષ હાજર રહેવા નોટીસ ફટકારવામાં આવી  છે.

આ કેસમાં રોહિતભાઈ હેમંતભાઈ ચંદાલા વતી  રાજકોટના યુવા ધારાશાસ્ત્રી મેઘરાજસિંહ એમ. ચુડાસમા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.