Abtak Media Google News

સિવિલ અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ: તંત્ર સમયસર પગલા નહીં લે તો કોરોના વકરવાની સંભાવના

રાજકોટમાં ત્રણેટ સિઝનની અસરોથી ડેન્ગ્યુ, તાવ, શર્દી, ઉઘરસ અને મેલેરીયાનો રોગચાળો ફાટી નીકળ્યો છે. જેથી ખાનગી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી હોઇ તેવા દર્શયો નજરે પડી રહ્યા છે. રાજકોટની સિવીલ હોસ્પિટલમાં પણ કેસ બારીએ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેથી વાતાવરણના બદલાવના કારણે રોગચાળો ફાટી નીકળ્યો હોઇ તેવા દર્શયો સામે આવી રહ્યા છે.

છેલ્લા કેટલાંક દિવસોથી વહેલી સવારે એકાએક વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે જેથી શિયાળાના સમયમાં વહેલી સવારે ચોમાસા જેવું વાતાવરણ સર્જાય છે. જયારે બપોરના તડકાથી એવું લાગે છે કે ઉનાળાની સીઝન ચાલી રહી હોઇ અને રાત્રીના સમયે ઠંડી પડવાથી શિયાળાની ઋતુ લાગે છે જેથી હાલ ત્રણેય સીઝનના કારણે રોગચાળાએ મોથુ ઉચકયુ હોઇ તેવું લાગી રહ્યું છે. જેથી છેલ્લા સપ્તાહમાં સિવીલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 4, મેલેરીયાના 3, ચિકન ગુનીયાના એક કેસ સામે આવ્યા છે. જયારે મનપાના ચોપડે છેલ્લા સપ્તાહમાં શરદી-ઉલ્ટીના 695 કેસ, સામાન્ય તાવના 442 કેસ, ઝાડા ઉલ્ટીના 39 કેસો સામે આવ્યા છે. જેથી જો તંત્ર સમયસર પગલા નહી ભરે તો કોરોના ફરી વકરવાની સંભાવના થઇ શકે છે.  ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસોમાં પણ રોગચાળાના કારણે વધારો થતો જોવા મળી રહ્યો છે.

આજ સવારના સમયે જ સીવીલ હોસ્પિટલમાં કેસ બારીએ કિડીયાળુ ઉભરાઇ તેમ દર્દીઓની સંખ્યા ઉભરાઇ હતી અને એક બારી દીઠ 30 થી વધુ લોકો કેસ કાઢવવા માટે કતારોમાં ઉભા રહ્યા હતા. જેથી આ દ્રશ્યો જોઇને ચોકકસ કહી શકી છીએ કે રાજકોટમાં રોગચાળાએ વેગ પકડયો છે. અને વાતાવરણના બદલાવનાં કારણે આ પરિસ્થિતિ સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સારવાર લેવા માટે આવેલા ઘણા દર્દીઓએ માસ્ક પહેરેલું ન હતું જેથી કોરોના ફરી માથુ ઉચકી શકે  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.