Abtak Media Google News

પાકિસ્તાનના સેના પ્રમુખે એક તરફ ભારત સાથે સમાધાન માટે તૈયારી બતાવી છે તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરના કેરી બટાલિયન એરિયામાં પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં એક ઓફિસર સહિત 3 જવાન શહીદ થયા છે. એક જવાન ઘાયલ થયો છે.

ભારતીય સેના એ પણ પાકિસ્તાનની આ નાપાક હરકતનો વળતો જવાબ આપ્યો છે. અહી ઉલ્લેખનીય છે કે એક તરફ પાકિસ્તાન વિશ્વ સમુદાય સમક્ષ ભારત સાથે શાંતિ ઈછતું હોવાનો ડોળ કરે છે બીજી તરફ વારંવાર સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.