ઊના અતિવૃત્તિ માં અનેક ગામો બેટ માં ફેરવ્યા હતા, જેમા થી ઉના તાલુકાનું ઊંટવાળા ગામ પણ બાકાત નથી, ઊંટવાળા માં ૪૦૦૦ વસ્તી ધરાવતા આ ગામમાં ૪૦૦ ની આસપાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ ધોધમાર વરસાદ ને કારણે ગામની વચ્ચે આવેલો કોજ વે ધોવાઈ જતા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ સતત ૧૫ દિવસ સુધી શાળામાં અભ્યાસ કરવા જય શક્ય ન હતા, શાળામાં શિક્ષકો તો આવતા પણ કોઝ વે ધોવાયો હોવાના કારણે બાળકો શાળા એ જય શકતા ન હતા.ઊંટવાળા ગામના લોકોના જણવ્યા મુજબ આ કોઝવે ૨૦૧૪ માં આવેલા વરસાદમાં થોડો ધોવાયો હતો પણ હાલમાં આવેલા ધોધમાર વરસાદ ના કારણે આ કોઝવે વધુ ધોવાઈ ગયો છે અને ગામના સરપંચે અનેક વાર તંત્ર ને લેખિત અને મોઉખિક રજુઆત કરવા છતાં તંત્ર ના બહેરા કાને વાત અથડાય ને પાચી આવે છે, તો અનેક લોકો ને વરસાદ દરમિયાન દોરડા બાંધીને આ માલણ નદી માંથી જીવન જોખમે પાણીમાં થી પસાર કરાયા હતા, તો કોઝવે તૂટી જવાના કારણે વિદ્યાર્થીઓ નું ૧૫ દિવસ સુધી શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું, જોકે ગ્રામ પંચાયત અને ગામ લોકો દ્વારા ફંડ એકઠું કરી હાલ તો આ કોઝવે નું સમર કામ કરી ને વિદ્યાર્થી ઓનું શિક્ષણ ન બગાડે તેવી વ્યવસ્થા કરી છે પરંતુ સવાલ એ થાય છે કે ભવિષ્ય માં આ કોઝવે પર થી કોઈ જાનહાની સર્જાય તો જવાબદારી કોની.
Trending
- પેડિક્યોરથી પણ પગની ટેનિંગ દૂર નથી થતી, તો એકવાર આ ઘરેલું ટીપ્સ ટ્રાઈ કરો
- બાળકોને આ હેલ્ધી ફૂડ ખવડાવી રહ્યા છો..!
- શેરબજારમાં જોવા મળ્યો બમ્પર ઉછાળો
- આ સમુદ્ર કિનારો છે નર્કનો પ્રવેશદ્વાર
- પરફ્યુમની સુગંધ રહેશે આખો દિવસ, અજમાવો આ ટ્રિક
- આખરે નામ જાહેર…રાહુલ ગાંધી રાયબરેલીથી જ્યારે કિશોરી લાલ શર્મા અમેઠીથી મેદાને ઉતર્યા
- શુક્રવારે આ દેવીની પૂજા કરી, ધન, સંપત્તિ અને પ્રેમનું વરદાન મેળવો
- જીભ પર થતાં સફેદ ડાઘ ખતરાની નિશાની સમાન છે, ભૂલથી પણ આવગણશો નહીં…