Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગરના ત્રણબતિ વિસ્તારમાં એસ.પી.બંગલા સામે આવેલી પોસ્ટ ઓફિસમાં સ્ટાફના અભાવે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી લોકોને તકલીફ ન પડે અને હેરાન ન થવું પડે તે માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારના દરેક વિભાગને અપગ્રેડ કરી રહ્યા છે, ત્યારે જામનગરનો પોસ્ટ વિભાગ હજુ પણ જૂની રીત  મુજબ કામ કરી રહ્યો છે.

Whatsapp Image 2023 10 04 At 12.41.02 D7D9D969
શહેરના હાર્દસમા વિસ્તારમાં આવેલી આ પોસ્ટ ઓફિસમાં મોટી વયના વૃદ્ધોને પોતાના ખાતામાં લેવડ-દેવડ કરવામાં ભારે અગવડ પડી રહી છે, અને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે, ત્યારે સરકાર તરફથી તમામ સુવિધાઓ અપાયા બાદ પણ આ પોસ્ટ ઓફિસ માત્ર બે કર્મચારીથી જ ચાલે છે અને એક જ કાઉન્ટર હોવાથી લોકોને ભારે હલાકી ભોગવવી પડી રહી છે.
જો જામનગર પોસ્ટના સુપ્રીટેન્ડન્ટ આ પોસ્ટ ઓફિસમાં વધુ બે કર્મચારી ફાળવે અને ત્રણ કાઉન્ટર ચાલુ કરાવે તો લોકોને હશકારો થશે તેમ લોકો ઇચ્છિ રહ્યા છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.