Abtak Media Google News

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત લથડતા તેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને દિલ્હી ખાતેની આર્મી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અને હાલ તેઓ ડોક્ટર્સના મોનિટરિંગ અંતર્ગત છે. આર્મી હોસ્પિટલે રાષ્ટ્રપતિની તબિયત સ્થિર હોવાની માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આજે સવાર અચાનક તબિયત બગડી હતી.

Advertisement

છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ તેમને દિલ્હીમાં આવેલ સેનાની આર્મી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. અહીં ડોક્ટરો તેમનું રૂટીન ચેકઅપ કરી રહ્યા છે.

હોસ્પિટલનું કહેવું છે કે હાલમાં કોઈ ચિંતાની વાત નથી. રાષ્ટ્રપતિની તબિયત સ્થિર છે. હોસ્પિટલે એક મેડિકલ બુલેટિનમાં કહ્યું કે, ભારતના રાષ્ટ્રપતિ આજે સવારે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ આર્મી હોસ્પિટલ આવ્યા હતા. તેમનું રૂટીન ચેકઅપ કરવામાં આવી રહ્યું છે અને તેઓ નિરીક્ષણ હેઠળ છે. તેમની હાલત સ્થિર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.