Abtak Media Google News

માંસ, મટન, મચ્છી અને ચીકનના વેંચાણ તથા સ્ટોરેજ પર પણ પ્રતિબંધ ફરમાવતું કોર્પોરેશન

આજથી પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો આરંભ થઇ ચુક્યો છે. ત્યારે શ્રાવણ માસના ચાર સોમવાર અને જન્માષ્ટમીના દિવસે કોર્પોરેશનની હદમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓને બંધ રાખવા માટે આજે મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્વ કરી દેવામાં આવ્યું છે.

મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા આજે પ્રસિદ્વ કરવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે શ્રાવણ માસના ચાર સોમવાર જે અનુક્રમે 21 ઓગસ્ટ, 28 ઓગસ્ટ, 4 સપ્ટેમ્બર અને 11 સપ્ટેમ્બરના રોજ આવે છે ત્યારે આ ઉપરાંત 7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીના દિવસે કોર્પોરેશનની હદમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તથા માંસ, મટન, મચ્છી અને ચીકનના વેંચાણ તથા સ્ટોરેજ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ જાહેરનામાની તમામે ચુસ્ત અમલવારી કરવાની રહેશે. જો કોઇ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ધ જીપીએમસી એક્ટ-1949 કલમ-129 અને 136 તથા કોર્પોરેશનના બાયોલોઝ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.