Abtak Media Google News

સમગ્ર જામનગર જિલ્લામાં આગામી દિવસોમાં પરશુરામ જયંતી, રમજાન ઈદ જેવા તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્વ સરવૈયા દ્વારા જામનગર જિલ્લામાં ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-37(1) હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ તા.16/06/2021ના 24-00 કલાક સુધી હથિયારબંધી ફરમાવી છે. આ સમય દરમ્યાન શસ્ત્ર , દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, અથવા લાઠી અથવા શારીરીક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ સાધન લઇ જવા નહી, કોઇપણ ક્ષયકારી અથવા સ્ફો,ટક દારૂગોળા વિગેરે પદાર્થો લઇ જવા નહી, પથ્થવરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુફઓ અથવા વસ્તુો ફેકવા કે ધકેલવાના યંત્રો સાથે લઇ જવા નહિ, મનુષ્યવ અથવા તેના શબ અથવા આકૃતીઓ અથવા પુતળા દેખાડવા કે બાળવા નહી. અપમાનો કરવાના અથવા જાહેર કરવાનાં ઇરાદાથી જાહેરમાં બીભત્સ સુત્રો પોકારવા નહી, ગીતો ગાવા નહી અને ટોળામાં ફરકવુ નહી, પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપીંગ મોલ કે સીનેમા હોલમાં તથા એમ.પી.શાહ મ્યુનિ.ટાઉન હોલમાં પ્રવેશવુ નહી. આ જાહેરનામું ફરજ પરના અધિકારીઓ કે કર્મચારીઓ કે હોમગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો કે જેમને ફરજ નિમિતે હથિયાર રાખવાની આવશ્યકતા હોય તેને તેમજ સરકારી અધિકારી/કર્મચારી હથીયાર ધરાવતા હોય તેને,

જેઓને શારીરિક અશક્તિને કારણે લાઠી રાખવાની પરવાનગી આપેલ હોય તેને, પોલીસ સબ ઇન્સપેક્ટરથી ઉતરતા દરજ્જાના હોય તેવા પોલીસ અધિકારીઓને, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજાને, યજ્ઞોપવિત અપાતુ હોય તેવા બડવાઓને દંડ રાખેલ હોય તેને, પોલીસ અધિક્ષક અગરતો તેઓએ નિયુક્ત કરેલ અધિકારીની કાયદેસરની પરવાનગી મેળવેલ વ્યક્તિને, કિરપાણ રાખેલ શિખને લાગુ પડશે નહિં. આ જાહેરનામાના ભંગ કે ઉલ્લંધન બદલ ઓછામાં ઓછા ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થશે, અને ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-135 (1) મુજબ દંડની સજા થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.