Abtak Media Google News

રાજય સરકાર હસ્તકની વીજ કંપનીઓના ખાનગીકરણ સામે વિરોધ વંટોળ

ખાનગીકરણથી ગ્રાહકો લૂંટાશે, વીજદર રૂ.૧૦ થી ૧૨ પ્રતિ યુનિટ ચૂકવવા પડે તેવી નોબત આવશે

વીજ ર્ક્મચારીઓનાં હકકોનું રક્ષણ ન થાય તેવી પણ પ્રબળ સંભાવના

ગુજરાત રાજયમાં ભૂતકાળમાં ઉર્જા ક્ષેત્રે સેવા પ્રદાન કરતું ગુજરાત વિધુત બોર્ડનું ઈન્ડીયન ઈલેકટ્રસીટી એકટ ૨૦૦૩ હેઠળ ૧-૪-૨૦૦૫થી કંપનીકરણ કરવામાં આવેલ છે.તેમજ વર્ષોથી ખોટ કરતા વીજ બોર્ડનું કંપનીકરણ જીયુવીએનએલ હેઠળની જીસેક (જનરેશન), જેટકો (ટ્રાન્સમિશન) અને ડિસ્કોમ (ડિસ્ટ્રીબ્યુશન) જેવી કે ડીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ અને પીજીવીસીએલ કંપનીઓમાં વિભાજન કરવામાં આવેલ છે. આ તમામ વીજ કંપનીઓ દ્વારા સરકારની રાહબારી અને માર્ગદર્શન હેઠળ વીજ અધિકારીઓ, કર્મચારીઓનાં અથાગ પ્રયત્નો થકી વીજ સીસ્ટમાં સુધારાવધારા કરી વીજ ઈન્ફ્રાસ્ટ્રકચર અને રેવન્યુમાં વર્ષ ૨૦૦૫ની સાપેક્ષમાં અંદાજે ચાર ગણો વધારો કરી તેમજ ટી એન્ડ ડી લોસમાં ૩૫%થી ઘટાડો કરી સરેરાશ ૧૭% કરવામાં આવેલ છે. આમ ભૂતકાળમાં ખોટા કરતું ઉર્જાક્ષત્ર જીઈબીનું કંપનીકરણ થકી નફાકારક બનાવેલ છે. તેમજ રાજયભરનાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારાં રેક કક્ષાના વીજ ગ્રાહકોને ગુણવતાસભર સાત્યત્યપૂર્વક વીજ પૂરવઠો પૂરો પાડવાની ખૂબજ સરી રીતે કામગીરી કરી રહ્યું છે. તેમજ રાજયની પાયાની પ્રજાકીય વીજળીની સેવા રાજય અને રાષ્ટ્રના વિકાસમાં સહયોગી બની આર્થિક બળ પૂરૂ પાડી રાજયમાં રોજગારી ઉપલબ્ધ કરાવવાનું અકે મહત્વનું અંગ બની રહ્યું છે.

Advertisement

રાજયની ચારેય વીજ વિતરણ કંપનીઓ સમગ્ર દેશભરમાં છેલ્લા સાત વર્ષોથી સતત પ્રથમ સ્થાને રહી અનેક એવોર્ડ પ્રાપ્ત કરી કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્થાપિત પરીમાણો સફળતાપૂર્વક મેળવી મોખરાનું સ્થાન પ્રાપ્ત કરેલ છષ. અને દેશમાં હાલમાં કાર્યરત ખાનગી કંપનીઓની વિજ સેવાની તુલના કરતા પણ વધુ સારા પરિમાણો મેળવી દેશભરમાં અગ્રેસર રહેલ છે. પરંતુ તાજેતરમાં દૈનિક સમાચાર પત્રોમાં પ્રસિધ્ધ થયેલ અહેવાલો મુજબ કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર અને રાજય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓનુય વહીવટીકરણ ખાનગી કંપનીને સંચાલન અને નિભાવની કામગીરી સોંપી ખાનગીકરણ કરવાની કાર્યવાહી કરવાની સરકારે નીતિ અમલમા મૂકવાનીકાર્યવાહી કરવામાં આવેલ છે. જે બાબતે કંપનીઓનાં સ્ટેકહોલ્ડરો આ બાબતે રજૂઆતો સાથેનો સખત વિરોધ નોંધાવેલ છે.

ગુજરાત વિધુત બોર્ડનું વર્ષ ૨૦૦૫માં કંપનીકરણ કરતા પહેલા રાજય સરકાર, જીયુવીએનએલ અને માન્ય યુનીયનો, એસોસીએશન સાથે ત્રિપક્ષીય કરાર કરી નકકી કરવામા આવેલ છે.કે વીજ કર્મચારીઓનાં હકક હિસ્સાઓનું સંપૂર્ણ પણે રક્ષણ કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા ઉર્જાક્ષેત્રમાં ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપવાની નીતિઓથી રાજય સરકાર હસ્તકની વીજ વિતરણ વ્યવસ્થાને ખાનગીકરણ કરવાથી ખાનગીકંપનીઓ ફકત નફાયુકત ક્ષેત્રો જેવા કે શહેરી અને ઔદ્યોગીક ક્ષેત્રોમાં વિજ સુવિધાઓ પૂરી પાડવાની નીતિ અમલમાં મૂકી નાના ગ્રાહકોને જેવા કે ગ્રામ્ય વિસ્તારનાં રહેણાંક, ખેતીવાડી મધ્યમ વર્ગ, ગરીબી રેખા હેઠળના વીજ ગ્રાહકો પર વીજ બિલનું ભારણ વધશે. સાથોસાથ નાના વિજ ગ્રાહકોને મળતી સબસીડી ક્રમશ બંધ થવાથી ખાનગી કંપનીઓ હેઠળના નાના વીજ ગ્રાહકોએ

સરેરાશ વીજ દર રૂ.૧૦થી ૧૨ પ્રતિ યુનિટ ચૂકવવાની નોબત ઉભી થવાની વિજબીલની રકમમાં ખુબ જ વધારો થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે.

ભૂળકાળમાં સરકાર દ્વારા ખાનગી કંપનીઓને વીજ ઉત્પાદન અને વીજ વિતરણ ક્ષેત્રે લાયસન્સો ઇસ્યુ કરી વેપાર કરવાનો હેતુસર બેન્કો દ્વારા ખાનગી કંપનીઓને કંપનીઓને અબજો રૂપિયાઓનું ફંડ ધિરાણ કરવામાં આવેલ, તે પૈકી આજે અંદાજે ૨.૫ લાખ કરોડ રૂપીયાઓનું ખાનગી કંપનીઓ દ્વારા ચુકવવાના બાકી હોવાથી બેંકોની કરોડોની રકમ આજે ફસાયેલ પડેલ છે.

હાલમાં જીયુવીએનએલ હેઠળની દરેક વીજ કંપનીઓ કુદરતી આપતિઓ જેવી કે અતિવૃષ્ટિ, પૂર-વાવાઝોડા, ભારે વરસાદ કે ધરતીકંપ જેવી આફતીઓમાં ભારે નુકશાન થવા છતાય રાજય સરકારની મદદ સાથે ખુબજ ઝડપથી ટુંકા સમયમાં હયાત વીજસંશાધનો થકી વીજ પુરવઠો પૂર્વવત કરવામાં ઝડપી અને અગ્રેસર રહેલ છે.

રાજય સરકાર હસ્તકની દરેક વીજ કંપનીઓ કેન્દ્ર અને રાજય સરકારના આદેશોનું પાલન કરી સમય મર્યાદામાં પછાત વિસ્તારો, અનેક સરકારી યોજનાઓનું જડપી અમલીકરણ કરી વિજળી કરણ કરવામાં વિજ કંપનીઓનો સીહ ફાળો રહેલો છે.

આમ રાજય સરકાર દ્વારા કરવામાં આવેલ ત્રિપક્ષીય કરારની કલમો મુજબ વિજ કંપનીઓમાં ફરજબજાવતા કર્મચારીઓના હકોનું રક્ષણ કરવામાં આવેલ છે. જેમાં ખાનગી કંપનીઓ દ્વારા સંપૂર્ણ પણે શરોતોનું પાલન ના કરવાની સંભાવનાઓમાં રહેલી કર્મચારીઓને અન્ય થશે. તેમજ ખાનગી કંપનીઓ તેમની વેપારી કરણ વૃતીથી નફાકારક વહીવટીકરણ કરવાની નિતી અખત્યાર કરવાથી મધ્યમ, નાના, ગરબી વર્ગના, ગ્રામ્ય અને ખાતીવાડી ગ્રાહકોને વિજ સબ સીડી બંધ થવાથી વિજ દરોમાં વધારો થવાથી તેમની મુશ્કેલીઓ વધશે. તથા કૃષી ઉત્પાદનો પર મહાસંકટ ઊભુ થશે જેથી રાજયના જીડીપી વિકાસમાં ઘટાડો થવાની સંભાવનાઓ રહેલી છે. આમ, આ પત્રથી જાણ કરવાની કે વીજ વ્યવસ્થાનું ખાનગી કરણ કરવાનું વિજકર્મચારીઓ અને રાજયની પ્રજાના હકોનું રક્ષણ થઇ શકશે નહી. તેમજ  રાજય અને રાષ્ટ્રના વિકાસના હિત ન હોઇ અને પ્રજાકિય જીવન જરૂરી પ્રાથમિક આવશ્ક વિજ સેવાના ક્ષેત્રમાં ખાનગી કરણની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે અટકાવવાની માંગ છે. તેમ અ.ગુ. વિ.કા. સંઘના સીનીયર સેક્રટરી જનરલ બી.એસ.પટેલ જીબીઆના સેક્રેટરી જનરલ બી.એમ. શાહ સહિતનાની યાદીમાં જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.