Abtak Media Google News

જેતપુર નવાગઢ નગર પાલીકા દ્વારા શહેરની જનતા પાસેથી ભુગર્ભ ગટર ટેક્સ પેટે રૂા.1000/- અને કનેક્શન ચાર્જના રૂા.1200/- વસુલે છે. આ કમ્મરતોડ બીલ  સામે અનેક સંગઠનો તેનો વિરોધ કરી રહ્યુ છે. આમ આદમી પાર્ટી  જેતપુર શહેરના હોદેદારો જેમા શહેર પ્રમુખ ડો. ભાવેશ પટેલ તથા  પાલીકાના અપક્ષ સદસ્યા મનિષાબેન પટોળીયાત, જતીંભાઇ દેંગડા તથા અન્ય કાર્યકર્તા  તેમજ  જેઓ જેતપુર શહેરમા ભારતિય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપરથી ત્રીસ-ત્રીસ વર્ષથી  પાલીકામા ચુંટાતા આવ્યા છે

તેવા  હાલના સદસ્ય અને ભાજપામા સંગઠનના યુવા મોરચાના એક સમયના પ્રમુખ પ્રમોદભાઇ  ત્રાડા જે  થોડા દિવસો પહેલાજ ભાજપને અલવીદા કરી આ.પ.માં જોડાયેલા છે. તે સહીતનાઓએ પાલીકાના ચિફ ઓફિસરને એક આવેદન પત્ર આપી આ બીલની રકમનો વિરોધ કર્યો હતો. આપના શહેર પ્ર્રમુખે જણાવ્યુ હતુ કે, કોરોનાની મહામારીમા લોકો  રોજગારી વગરના થઇ ગયા છે. સાડીના ઘણા  કારખાના બંધ હોવાને કારણે  તેની સાથે જોડાયેલ વ્યવસાયોમા પણ ભયંકર મંદીનો માહોલ ચાલી રહ્યો છે. પાલીકામા સતાધારી પાર્ટી ભાજપાના હોદેદારોએ   લોકોની પરીસ્થિતી સમજવી  જોઇએ.

પ્રમોદભાઇને ભાજપા છોડી  આપમા જોડાવા અંગે પૂછતા તેઓએ જણાવેલ કે, હાલની જે ભાજપા છે તે   અટલ બીહારી બાજપાઇ અને અડવાણીની  વિચારધારાની રહી નથી. અત્યારે તેમા સરમુખત્યારશાહી ચાલે છે. ભુતકાળમા પાર્ટીમા સ્થાનિક  લેવલે નિર્ણય લેવામા આવતા હતા. પાર્ટીના શહેર પ્રમુખની વરણી કાર્યાકરોનો (અભિપ્રાય) લઇને કરવામા આવતી હતી.

હવે કાર્યકરની  કામગીરીને ધ્યાને લઇને હોદા આપવામા આવતા નથી. તેઓએ હવે પછીની ગતિવિધી અંગે  જણાવ્યુ હતુ કે  ચેમ્બર ઓફ કોમર્સ,  શહેરના અન્ય વેપારી એશોશિએશનો  અને  જેમણે આ ટેક્સ – ચાર્જ સામે જનજાગ્રુતીની મુહીમ ચલાવી છે તેવા બીન રાજકિય સંગઠન શહેર વિકાસ સમિતીનો અભિપ્રાય લઇ પ્રત્યક્ષ કે પ્રરોક્ષ સહકાર મેળવી  શહેર બંધનુ એલાન આપી વિરોધ કરવામા આવશે. ટેક્સ- ચાર્જની તોતીંગ રકમ સામે સમગ્ર  શહેરમાથી વિરોધનો વંટોળ ઉઠ્યો છે. પાલીકામા સતા  સમ્ભાળી રહેલ ભાજપાના પ્રમુખ અને હોદેદારો સામે  લોકો આરપારની લડાઇના  જાણે કે  મંડાણ કરી ચુક્યા હોય તેવો માહોલ શહેરમા ચાલી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.