Abtak Media Google News

દરેકને રૂ ૧૦૦ની પ્રભાવન

સૌરાષ્ટ્રના સિંહણ પૂ. ઇન્દુબાઇ મ. તીર્થધામ માં ગઇકાલે રાત્રે પૂ. મોટા મહાસતીજીની ૮૭મી જન્મ જયંત પ્રસંગે ભવ્યાતી ભવ્ય દિવ્ય જાપ થયા હતા. જેનો હજારો સાધકોએ લાભ લીધેલ. ઉપાશ્રય આંયબીલ ભવન અને બહાર આખો રોડ પણ ટુંકો પડયો એટલી માનવ મેદની શ્રઘ્ધાથી ઉમટી હતી.

ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામ આસ્થાનો ઓટલો, શ્રઘ્ધાનું કેન્દ્ર, મીની પાવાપુરી બની ગયેલ છે. સવારે રજવાડી સુપર પારણા મહોત્સવ હતો. જાપમાં બેઠેલ દરેક સાધકને અશોકભાઇ દોશી તથા ઋષભ જૈન તરફથી રૂ ૧૦૦/- ની પ્રભાવના થઇ હતી.

દિવ્ય જાપમાં સીએમ શેઠ, અશોકભાઇ દોશી, નિલેશભાઇ શાહ, જયેશભાઇ માવાણી, હિમાંશુભાઇ શાહ, સંપટભાઇ મારવાડી, નિલેશ પંડયા, રણજીત ચૌહાણ, રમેશભાઇ અજીતસીંગ, ઠાકુરસીંગ જયંતભાઇ ભરવાડા, ધીરેનભાઇ મરવાડા ચારુબેન વોરા, આદી સહીત અનેક જૈન જૈનતર લાભ લઇ જાપ કરી ધન્ય બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.