Abtak Media Google News

હરદાસભાઈ રબારી વર્ષમાં ત્રણ વખત પગપાળા યાત્રા કરે છે

ચોટીલા ના રબારી જ્ઞાતિ ના ત્રણ ભક્તો એ ચોટીલા થી રાજસ્થાન ના પ્રસિધ્ધ રામદેવરા ના રામદેવપીર દાદા ના મંદિરે દર્શન કરવા પદયાત્રા શરૂ કરી હતી.આ ત્રણેય શ્રધ્ધાળુઓ ને પરિવારજનો એ હર્ષપૂર્વક વિદાય આપી હતી.

ચોટીલા ના રબારી જ્ઞાતિ ના અગ્રણી અને માતાજી ના ભુવા હરદાસભાઇ વસ્તાભાઇ બોસ્તર દર વર્ષે સતત ત્રણ વાર ચોટીલા થી રાજસ્થાન માં આવેલ રામદેવપીર ના જગ પ્રસિધ્ધ રામદેવરા ના મંદિરે દર્શન કરવા પદયાત્રા કરી રામદેવપીર દાદા માં તેમની અખુટ શ્રધ્ધા ના દર્શન સૌને કરાવી રહ્યાં છે.

જ્ચારે દર વર્ષ ની માફક આ વર્ષે પણ આ ભક્ત હરદાસભાઇ એ રાજસ્થાન ના રામદેવરા ના દર્શન કરવા ચોટીલા થી પદયાત્રા શરૂ કરી હતી તેમની સાથે ચોટીલા ના કરસનભાઇ સોમાભાઇ લુણી તથા રૂપાભાઇ બોસ્તર પણ ભાવપૂર્વક જોડાયાં હતાં.

આ ભક્ત હરદાસભાઇ બોસ્તરે દ્વારકાધીશજી માં પણ અખુટ શ્રધ્ધા ધરાવે છે અને તેઓ એ દ્વારકાધીશજી ના દર્શન પણ અગીયાર વર્ષ માં ૧૭ વાર પદયાત્રા કરીને કરેલાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.