Abtak Media Google News

 ભાજપ સહિતના સંઘના વરિષ્ઠ નેતાઓ કરશે મહામંથન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અખિલ ભારતીય સમનવય બેઠક રાયપુર  છતીસઞઢ જૈન મ માનસ ભવન રાયપુર ખાતે ભવ્ય પ્રારંભ થયો હતો. આ બેઠકમાં ઉદ્ઘાટન સર સંઘ ચાલક મોહનજી ભાગવત અને સર કાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબાલે જી એ ભારત માતા ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી બેઠકની શરૂઆત થઈ હતી. આ બેઠકમાં 36 સંગઠનો પ્રમુખ  અખિલ ભારતીય અધિકારીઓએ ભાગ લીધો હતો

આ બેઠકમાં વર્તમાન અને સામાજિક પરિદ્રશ્ય, શિક્ષા, સેવા આર્થિક તથા રાષ્ટ્રીય સુરક્ષા ના મુદ્દા પર ચર્ચા થશે. ગૌ સેવા ગ્રામ્ય વિકાસ, પર્યાવરણ,, કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, વગેરે વિષયો આગળ વધારવા માટે ચર્ચા થશે. સંગઠનનો વધારો વિશેષ એ જુદા જુદા પ્રયોગો થયા હોય તેની વિશેષ ચર્ચા થશે ભાજપ માંથી આ બેઠકમાં ભાગ લેવા માટે અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડા અને સંગઠન મંત્રી બી.એલ સંતોષ ભાગ લઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.