રાજુલા તાલુકાના આગરીયા નજીક પાંચાળી આહીર રાધા–કૃષ્ણ મંદિર ટ્રસ્ટના પ્રમુખ દેવાતભાઈ બલદાણીયા પર શૈલેષ ચાંદુ તેના મળતિયા ટોળકી દ્વારા જીવલેણ હિંચકારો હુમલો કરવામાં આવેલ. આ બનાવનો હેતુ એવો છે કે થોડા દિવસો પહેલા સમાજની સગીરાનું અપહરણ કરી ઉપાડી જનાર સાવરકુંડલા તાલુકાના દોલતી ગામના માથાભારે સરપંચ દાડુ ચાંદુની સુરત પોલીસે ધરપકડ કરેલ જેથી જેના પેટમાં તેલ રેડાયું એવા શૈલેષ ચાંદુને પેટની પીડા ઉપડતા અને તેની સામે કોઈ માથુ ન ઉંચકે અને વિરોધમાં ચાલતી પ્રવૃતિમાં કોઈ ભાગ ન લે તેવા બદઈરાદાથી આ અંગેની કામગીરીની આગેવાની લેનાર અને ૧૧૦ ગામના પ્રમુખ દેવાતભાઈ પર હિંચકારો હુમલો થયેલ. જે અંગે ચર્ચા વિચારણા કરવા મહુવા રાધાકૃષ્ણ મંદિર ખાતે સમાજના આગેવાનોની મીટીંગ મળેલ અને આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ અને તહોમતદારોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે જેથી અન્ય આગેવાનો પર આવા કૃષ્ણનું પુનરાવર્તન ન થાય સાથે અમરેલી જીલ્લાના ડીએસપી નિર્લીપ્તરાયની કામગીરીની પ્રશંસા કરવામાં આવેલ અને નીચેના પોલીસ સ્ટાફ કે આ લોકો સાથે મળતીયા છે તેવા અંગે પગલા લેવા રજુઆત કરવામાં અાવી છે.
Trending
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી
- ધ્રોલ : જુની કુમાર છાત્રાલયની જર્જરીત દિવાલ પડતા 2 બાળકો દટાયા