કોવિડ-૧૯ મહામારી અન્વયે જામનગર શહેર તેમજ આસપાસના ગામડાઓમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી અનાજ-કરિયાણુ વગેરે વસ્તુઓ જથ્થાબંધ તેમજ છુટક ખરીદી કરવા માટે શહેરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં વેપારીઓ તેમજ શહેરીજનો આવતા હોય છે. વેપારીઓ તેમજ શહેરીજનોની સુરક્ષા માટે સમગ્ર ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં સમૂહ સફાઈ, ડીડીટી છંટકાવ, સેનિટાઈઝેશનની કામગીરી કરાવવા અંગે જામનગર મહાનગરપાલિકાના પદાધિકારી મેયર હસમુખભાઈ જેઠવા, ડે.મેયર કરશનભાઈ કરમુર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, શાસકપક્ષ નેતા દિવ્યેશભાઈ અકબરી, શાસકપક્ષ દંડક જડીબેન સરવૈયા સર્વે દ્વારા સૂચન આવતા. સોલીડ વેસ્ટ શાખાના અધિકારીએ ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં સમૂહ સફાઈ ડીડીટી છંટકાવ, સેનિટાઈઝેશનની વગેરે કામગીરી હા ધરવામાં આવી. આ સમયે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, વેપારી અગ્રણી રમેશભાઈ દત્તાણી, મહાનગર પાલિકાના અધિકારી મુકેશ વરણવા તેમજ અન્ય કર્મચારીઓની હાજરીમાં આ કામગીરી શરૂ કરવામાં આવેલ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો