Abtak Media Google News

કહેવાતી ગરીબોની કસ્તુરી લાલ ડુંગળી નું સૌરાષ્ટ્રભરમાં વ્યાપક પ્રમાણમાં ઉત્પાદન થયું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીની મબલખ આવક થી અનેકવાર ઉભરાઈ ચૂક્યું છે ત્યારે ગોંડલ થી બિહાર પુરનીયા ખાતે રૂપિયા સવા કરોડની કિંમતની આશરે 1000 ટન ડુંગળીના જથ્થા ને ટ્રેન મારફતે રવાના કરવામાં આવ્યો હતો. આ તકે માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા, વલ્લભભાઈ કેવિન ટ્રેડિંગ વાળા, શિરીષભાઈ જોશી તેમજ રેલવે અધિકારીઓ હાજર રહ્યા હતા અને ડુંગળી ના જથ્થાને રવાના કરાયો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.