Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ પ્રાંતમાં બકરી ઈદની નમાઝ બાદ સેના પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. આજે સવારે ઈદની નમાઝ અદા કર્યા બાદ ટોળાએ રોડ-રસ્તા પર આતંક મચાવ્યો હતો.

ટોળાને કાબુ કરવા પહોંચેલી સેનાની ટૂકડી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં અનેકને ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે. પથ્થરમારાના કારણે અનંતનાગ પ્રાંતમાં જડબેસલાક સુરક્ષા ગોઠવી દેવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.