Abtak Media Google News

Table of Contents

નવી શિક્ષણ નીતિ 2020 જૂન 2023થી લાગુ પડી જશે ત્યારે  આજના શિક્ષણમાં બદલાવ જોવા મળશે: લાઈફ સકિલ ડેવલપમેન્ટથી વિદ્યાર્થી સ્વ અધ્યયન સાથે સતત નવું શિખવા પ્રેરાય છે

આજે મા-બાપો 100માંથી  કેટલા ગુણ-ટકા કે પીઆર આવ્યા તેના પર જ ધ્યાન કેન્દ્રીત કરે છે:   ગોખણીયા જ્ઞાનથી  મેળવેલા ગુણ એ   સાચુ મૂલ્યાંકન ન ગણી શકાય: આજના યુગમાં પણ ભણતરની સાથે ‘ગણતર’ અગત્યતા જરૂરી છે

1986 બાદ ચાલી  આવતી શિક્ષણ પધ્ધતિમાં હવે સૌ  બદલાવ ઈચ્છે છે, ત્યારે શિક્ષકો એ બાળ માનસના  આધારે બાળકની વય-કક્ષા મુજબ વિવિધ  ટેકનીકથી વર્ગખંડમાં શિક્ષણ આપવું જોઈએ

આજે ચારેકોર  શિક્ષણ સુધારણાની વાતો ચાલી રહી છે  આજે તો સારા માર્ક હોય તોજ   એડમીશન કે સર્વીસમાં ગણતરી લેવાતી હોવાથી બધા જ માર્ક માટે ભણતા હોય એવું લાગે છે પણ હકિકતમાં શિખવા માટે ભણવું જરૂરી છે. જીવન કૌશલ્યોનો વિકાસ બરોબર થયો હશે તો તે છાત્રમાં બીજી ઘણી બધી આવડત ડેપલપ થતા તેને જીવનમાં ઘણી સુગમતા રહે છે. માર્ક માટે ભણનાર ગોખણીયા જ્ઞાનનો સહારો લઈ આંશિક સફળતા  મેળવે છે પણ બીજી બાબતોમાં તે નબળો રહી જાય છે. સંર્વાગી વિકાસ શિક્ષણની  સૌથી  અગત્યની બાબત છે. જુન 2023 થી  શરૂ થતા નવા શૈક્ષણીક સત્રમાં નવી શિક્ષણ નીતિ લાગુ પડી  જશે તે હાલની હાલની  પેટર્નમાં ફેરફાર જોવા મળશે.

આજે મા-બાપો પણ 100માંથી કેટલા ગુણ  ટકા કે પી.આર. આવ્યા તેના  પર ધ્યાન કેન્દ્રીત કરે છે. ગોખણીયા જ્ઞશનથી મેળવેલા ગુણ એસાચુ  મૂલ્યાંકન ગણી શકાય. સ્કીલ ડેવલપમેન્ટથી છાત્રો સ્વ. અધ્યયન સાથે સતત નવું શિખવા પ્રેરાય છે. કલાસરૂમ એનવાયમેન્ટ અને શિક્ષકની કુનેહ આબંને  બાબતો શિક્ષણ માટે અતી મહત્વની છે.  દરેક શિક્ષક  બાળ મનોવિજ્ઞાનનો ઉંડો  અભ્યાસી હોવા જ જોઈએ  ધો.9 થી 12માં તરૂણોને સમજવા માટે તારૂણ્ય શિક્ષણ જરૂરી છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ આપેલી  સ્વવિકાસ, સમસ્યા ઉકેલ, નિર્ણય શકિત  જેવી વિવિધ સ્કીલ શિક્ષકે બાળકોને હસ્તગત કરાવવાની છે.

Ethicaleducationupdated

આજે શાળાઓમાં પણ એક બીજા કરતા અલગ ટેકનીકથી છાત્રોને  ભણાવાય છે.  રાજયપાઠય પુસ્તક મંડળના પુસ્તકો સિવાય જેને ધોરણમાં  બીજા ખાનગી પ્રકાશનોની મનાઈ હોવા છતાં આવા પુસ્તકોનો આગ્રહ  રાખવામા આવે  છે. કખગધ જેવા જુના કકાને બદલે નમગજ આવ્યાને ઘણા વર્ષો થયા છતાં  હજી જુનો કકો જ ચલાવાતો જોવા મળે છે. આજની 21મી સદીમાં પણ બાળખો  પાટીમાં એકડા ઘુટતા જોવા મળે છે. બાળકની વયકક્ષા મુજબ રસમય શૈલીમાં  વિવિધ  એકમમુજબના શૈક્ષણીક સાધનોનો ઉપયોગ થાય તોજ  બાળકની   ઝડપી  આવડતુ હોય છે. ગુજરાતનાં શહેરો વિશે જયારે ભણાવો ત્યારે રાજયનો નકશો બાળખોને બતાવો ને તેમાં શહેરોની શોધ સાથે  વ્યકિતગત શિક્ષણ આપો તોજ તે  સારી રીતે રાજય વિષયક  માહિતી મેળવી શકે છે.

નાના બાળક કે મોટા બાળકોના રસ-રૂચીને વલણોને ધ્યાને લઈને તેને શિખવવાની  પ્રક્રિયામાં જોડો તો જ તે વર્ગમાં ટકી રહે છે. બાળકને ભણવામાં કંટાળો  આવશે તો તે શાળા છોડશે કે ગેરહાજર રહેવા લાગશે શિક્ષણમાં ટીચીંગ લર્નીંગ મટીરીયલનું મહત્વ ઘણું છે.સહ અભ્યાસીક પ્રવૃત્તિ સાથે પણ   તમે તેને ઘણુ શીખવી  શકો છો. પાઠ વાંચી જઈને તેના પ્રશ્ર્નોપૂછવા કરતા પાઠનો  પ્રથમ  હાર્દ સમજાવીને બીજા ઉદારણો, પ્રેરક પ્રસંગોને જોડીને  એકમ સમજાવવામાં આવે તો ઘણા સારા પરિણામો  મળી શકે એમ છે.

નાનાન બાળકને શિખણ સાથે જોડવો અધરૂ કામ છે. પણ જોયફુલ લર્નીંગથી આ કામ  આસાન થઈ શકે છે. રમતા રમતા શિક્ષણ એ સૌથી બેસ્ટ ટેકનીક છે. વસ્તુગણીને નંબર લખો, સ્પેલિંગ  પરથી એક અંક પસંદ  કરો, કેટલી વસ્તુ છે તે ગણો, ધણી વસ્તુમાંથી એક પસંદ કરો જેવી ધણી પ્રવૃત્તિથી બાળકે રસમય રીતે જોડીશકાય છે. શૈક્ષણીક રમકડાંના માધ્યમથી બાળકને  પ્રવૃત્તિમાં જોડીને   તેને જાતે ભણતો કરી શકો છો. જુથ પધ્ધતિથી શિક્ષણમાં ઘણા સારા પરિણામો મળ્યા છે. શિક્ષણનો ઉદેશ તે સમજે વિચારે સાથે શ્રેષ્ઠ  નાગરીક  બને તેવો છે,તેથી જ શિક્ષકને બાળકનો ધડવૈયો  કહેવાયો છે. શિક્ષક જ દેશના  ભાવી નાગરીક તૈયાર કરવાનું મહત્વનું કામ કરે છે. બાળક લખતું વાંચતુ અને  બોલતું થાય તે સૌથી અગત્યની  બાબત હોવાથી નવી શિક્ષણનીતિનાં  પ્રથમ પાંચ વર્ષના  તબકકામાં   બે વર્ષ અર્લી ચાઈલ્ડ એજયુકેશન અને ધો.1.2.3 ને સામેલ  કરેલ છે જેમાં વાંચન ગણન અને લેખનને મહત્વ અપાયું છે. શિક્ષણમાં સારા નરસાની પરિભાષા  બાળકો તમજે  તે   સૌથી શ્રેષ્ઠ વાત છે.

બાળકોમાં  જીવન મૂલ્ય  શિક્ષણ અને  સુટેવો સાથે ધણા બધા ગુણોનું સિંચન શિક્ષણ દ્વારા જ થાય છે.  શાળા આસપાસ કે ઘર આસપાસાં વાતાવરણમાંથી બાળક ઘણું શીખતો હોવાથી આપણી આસપાસ જેવો પર્યાવરણનો વિષય હાલ બાળખોને ભણાવાય છે. પહેલા કરતા અત્યારે ઘણા સારા  ફોરકલર ઓફસેટ  પ્રીન્ટીંગ વાલા નયન રમ્ય પુસ્તકો આવતા હોવાથી બાળકે જોવા ગમે છે.  પુસ્તકોનાં ચિત્રો જોઈને બાળક ઘણા વાકયો બોલવા પણ લાગે છે.દ્રશ્ય -શ્રાવ્ય સાધનો સાથે    આજે સ્માર્ટ કલાસમાં અધતન સુવિધાથી શિક્ષણ અપાતું હોવાથી બાળક તે જોઈે  ઘણુ શીખે છે.ને આવી પ્રક્રીયાનું સતત દ્દઢિકરણથી તે ઝડપી યાદ રહી જાય છે.

Lifeskills

ફકત પુસ્તકીયુ જ્ઞાન બાળકોની અંદર જીજ્ઞાસા જગાવી શકતુ નથી, કે તેનું ધ્યાન કેન્દ્રીત કરી શકતુ નથી.  શિક્ષણમાં કાર્ય કેપ્રવૃત્તિનું  મહત્વ છે જેમા બાળખના હાથે, હૃદય,  આંખ, મગજ જેવા અંગો જોડાય છે. ખાલી શબ્દોનો  બાળકને થાક લાગશે જો તેમને પ્રવૃત્તિ દ્વારા ભણાવવાશે તો  તેને પૂર્ણ રસ પડતા તે શિખવાની પ્રક્રિયામાં જોડાશે. આવી પ્રવૃત્તિ દ્વારા અપાતા  શિક્ષણથી ઘણા ગુણો બાળકોમાં વિકશે છે. અસરકારક વર્ગ  વ્યવસ્થા સાથે ગુણવત્તા સભર શિક્ષણ પણ હોવું જરૂરી છે.

બાળકને ભલે માર્ક ઓછા આવે પણ તે બીજી બધી કલામાં જો  નિપુણ થશે તો તેનો વિકાસ ઝડપી બનશે. નવી શિક્ષણ નીતિ મુજબ હવે માતૃભાષામાં શિક્ષણને કારણ એબીસીડી સાથે ગુજરાતી કકો પણ ફરજીયાત ભણવા લાગ્યા છે.એકવાત નકકી છે કે માતૃભાષા શીખ્યાબાદ બીજી બધી ભાષા હિન્દી કે  અંગ્રેજી  છાત્રોને  ઝડપથી આવડી જાય છે.તેવું સંશોધનમાં જોવા મળ્યું છે. કોરોના કાળમાં જે  બાળકોબેકે ત્રણ વર્ષના હતા તે આજે પહેલા ધોરણમાં  આવ્યા ત્યારે અત્યારે તેને  લખતા વાંચતા  ગણનમાં તકલીફ પડે છે. કારણ કે તેને  પાયાનું જ્ઞાન મળેલ નથી આજના યુગમાં દરેક મા-બાપે પણ બાળકના શિક્ષણ બાબતે જાગૃત થઈને  દરરોજ તેને  પાસે બેસાડીને  વિવિધ  સ્વ-અધ્યયન કરાવવું જ પડશે,  આમ કરવાથી બાળકમાં  ઉત્સાહ ઉમંગ  વધતા તે જાતે ભણતો થશે.

ઉપનિષદ કાળમાં દરેક શબ્દની સાથે ‘જ્ઞાન’ શબ્દ  જોડવામાં આવતો

જ્ઞાન-વિદ્યા અને શિક્ષણ આ  ત્રણેય શબ્દોનો ઉપયોગ  દરેક જગ્યાએ અલગઅલગ થઈ શકે છે. પ્રાચિન  ઉનિષદકાળમાં  દરેક શબ્દની પાછળ જ્ઞાન શબ્દ જોડવામાં આવતો   જેમકે  બ્રહ્મજ્ઞાન, આત્મજ્ઞાન, અધ્યાત્મજ્ઞાન, મધ્યકાલીન યુગમાં વિદ્યા શબ્દ પ્રચલીત થયો જેમકે અસ્ત્રવિદ્યા,  શસ્ત્રવિદ્યા, જયોતિષ વિદ્યા, જ્ઞાન અને વિદ્યા અધ્યાત્મની  ભૂમિકા પર   બંને શબ્દો વપરાતા જે અજ્ઞાનરૂપી  અંધકારમાંથી  વ્યકિતને   મુકત કરે તે  વિદ્યાજ્ઞાન કે શિક્ષણ કહી શકાય. આજના યુગમાં જ્ઞાન વિજ્ઞાન શબ્દ આવ્યો  તો વિશિષ્ટ પ્રકારનાજ્ઞાનને  વિજ્ઞાન પણ કહી શકાય છે. આજના શિક્ષણ યુગમાં ભણતરની વેલ્યુ વધી છે. શિક્ષણ શબ્દ શિક્ષાઉપરથી આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.