Abtak Media Google News

પેટમાં દુખાવાના કારણે જીવન ટૂંકાવવાનું પ્રાથમિક તારણ: પરિવારમાં આક્રંદ

શહેરના ખોડીયાર પરા વિસ્તારમાં કાનાભાઈ ના મફતિયામાં રહેતી યુવતીએ ગઈકાલે સાંજે પોતાના ઘરે ગળાફાંસો ખાય આપઘાત કરી લેતા પરિવારમાં આક્રંદ છવાયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ પેટમાં દુખાવાના કારણે યુવતીએ જીવન ટૂંકાવ્યું હતું.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખોડીયાર પરામાં કાનાભાઈ ના મફતિયામાં રહેતી પ્રીતિ શ્યામલાલ આહીરવાલ નામની 18 વર્ષની યુવતીએ પોતાના કરે પંખામાં ગમછા વળે ગળાફાંસો ખાય આપઘાત કરી લેતા પરિવારમાં શોખનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ખોડીયારપરાં વિસ્તારમાં દોડી ગયો હતો.

પોલીસે ઘટનાની નોંધ કરીને યુવતીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં પ્રાથમિક કારણમાં જાણવા મળ્યા મુજબ યુવતીને છેલ્લા ઘણા સમયથી પેટમાં દુખાવો હોવાના કારણે તેનાથી કંટાળી જીવન ટૂંકાવ્યાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.