Abtak Media Google News
  • વ્યાસના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘નમાઝને આદેશથી અસર નહીં થાય’.
  • વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટના નિર્ણયને મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

નેશનલ ન્યૂઝ : જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના વ્યાસ ભોંયરામાં પૂજા પર પ્રતિબંધ મૂકવા માટે મસ્જિદ સમિતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આજે સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી સંકુલના વ્યાસ ભોંયરામાં પૂજા વિરુદ્ધ મસ્જિદ સમિતિની અરજી પર સુનાવણી કરી. આ સમય દરમિયાન, સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. આદેશ આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે 31 જાન્યુઆરીના આદેશથી નમાઝ પર કોઈ અસર થઈ નથી.

ભોંયરામાં પૂજા કરવા સામે મસ્જિદ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના અરજદાર શૈલેન્દ્ર વ્યાસને નોટિસ જારી કરી હતી. જ્ઞાનવાપી કેમ્પસમાં વ્યાસ બેઝમેન્ટમાં પૂજા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી હવે જુલાઈના ત્રીજા સપ્તાહમાં થશે.

જ્ઞાનવાપી મસ્જિદ સમિતિએ કયા આધારે નિર્ણયને પડકાર્યો?

જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં થતી પૂજા સામે મસ્જિદ સમિતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી દરમિયાન, મસ્જિદ પક્ષના વકીલ હુઝૈફા અહમદીએ કહ્યું કે નીચલી અદાલતે આદેશને લાગુ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો, પરંતુ સરકારે તેને તરત જ લાગુ કર્યો. હાઈકોર્ટે પણ અમને રાહત આપી નથી. તેમણે સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી હતી કે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના વ્યાસ ભોંયરામાં પૂજા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ.

વ્યાસ ભોંયરામાં પૂજા રોકવા પર CJI ચંદ્રચુડે શું કહ્યું?

સુનાવણી દરમિયાન CJI DY ચંદ્રચુડે કહ્યું, ‘ભોંયરામાં પ્રવેશ દક્ષિણ તરફથી છે અને મસ્જિદની એન્ટ્રી ઉત્તર તરફથી છે. બંને એકબીજાને અસર કરતા નથી. અમે આદેશ આપી શકીએ છીએ કે હાલ પૂરતું, પૂજા અને નમાઝ બંને પોતપોતાના સ્થળોએ ચાલુ રહે.
સુનાવણી દરમિયાન વ્યાસ પરિવારના વકીલ શ્યામ દિવાને ઔપચારિક નોટિસ જારી કરવાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે નીચલી અદાલતોમાં હજુ આ મામલો સંપૂર્ણ રીતે ઉકેલાયો નથી. આ સમયે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની જરૂર નથી. જો કે તેમ છતાં સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી હતી.

અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે મસ્જિદ સમિતિ SC પહોંચી

અંજુમન મસ્જિદ વ્યવસ્થા સમિતિએ અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, જેણે હિંદુઓને મસ્જિદના દક્ષિણ ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપતા નીચલી અદાલતના આદેશને સમર્થન આપ્યું હતું. આ સમિતિ વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદની બાબતોનું સંચાલન કરે છે. નીચલી અદાલતે 31 જાન્યુઆરીએ પોતાના આદેશમાં હિન્દુઓને ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપી હતી.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.